ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ પ્રવાસ દરમિયાન તેઓ બે રાત રાજભવન ખાતે રાત્રે રોકાણ કરશે. આવતીકાલે સાંજે તેવો વડસર ખાતે ના કાર્યક્રમમાં હાજરી આપીને પ્રવાસનો પ્રારંભ થશે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત ગુજરાત આવી રહેલા નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમના બે દિવસ રોકાણને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે સેન્ટ્રલની એજન્સી અને સ્થાનિક પોલીસ દ્વારા મહાત્મા મંદિર રાજભવન મેટ્રો સ્ટેશન ગિફ્ટ સિટીમા કાર્યક્રમના સ્થળો પર જઈને સુરક્ષા સમીક્ષા કરવામાં આવી હતી.
વડાપ્રધાન કાયર્લિય દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમો મુજબ આવતીકાલે બપોરે 4:00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે ત્યાંથી તેઓ સીધા જ હેલિકોપ્ટર મારફતે વડસર પહોંચશે અને વડસરથી તેઓ કાર્યક્રમના સ્થળે પહોંચશે. એરફોર્સ ના કાર્યક્રમમાં હાજરી આપીને વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે સચિવાલય હેલીપેડ ઉત્તરાણ કરશે ત્યાંથી તેઓ સીધા મોટર માર્ગે રાજભવન પહોંચશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech