Aajkaalteam
ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ ઉદ્ઘાટન કર્યું હતુ. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાન મંત્રી શેખ હસીનાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ ઉદ્ધાટન દરમિયાના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે, આજે ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર વર્ષ 2018માં ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈનનો શિલાન્યાસ કર્યો હતો. તેમજ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, મને ખુશી છે કે આજે વડાપ્રધાન શેખ હસીના સાથે તેનું ઉદ્ઘાટન કરવાની તક મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પણ સંતોષની વાત છે. કોવિડ રોગચાળા છતાં આ પ્રોજેક્ટનું કામ ચાલુ રહ્યું. આ પાઈપલાઈન ઉત્તર બાંગ્લાદેશના વિવિધ જિલ્લાઓમાં 10 લાખ મેટ્રિક ટન હાઈ સ્પીડ ડીઝલનો પુરવઠો પૂરો પાડશે.
India-Bangladesh Friendship Pipeline will enhance cooperation in energy security between the two countries: PM Modi
— ANI Digital (@ani_digital) March 18, 2023
Read @ANI Story | https://t.co/vrhYYN9wi6#PMModi #IndiaBangladeshFriendshipPipeline #SheikhHasina pic.twitter.com/at7leWIJ5t
પ્રથમ યુનિટ કાર્યરત કરાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત બાંગ્લાદેશને 1100 મેગાવોટથી વધુ વીજળી સપ્લાય કરી રહ્યું છે. મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું પ્રથમ યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે. ગત વર્ષે વડા પ્રધાન શેખ હસીનાની ભારત મુલાકાત દરમિયાન તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
Prime Minister Narendra Modi and Bangladesh PM Sheikh Hasina inaugurate the India-Bangladesh Friendship Pipeline, via video conferencing. pic.twitter.com/JBOUFHkVzE
— ANI (@ANI) March 18, 2023
ટૂંક સમયમાં બીજું યુનિટ શરૂ કરાશે
હવે અમે ટૂંક સમયમાં બીજું યુનિટ શરૂ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. બંને દેશો વચ્ચે આ પહેલી ક્રોસ બોર્ડર પાઇપલાઇન છે. પ્રથમ છે ક્રોસ - બોર્ડર પાઇપલાઇન. તે લગભગ 377 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. કુલ ખર્ચમાંથી 285 કરોડ રૂપિયા બાંગ્લાદેશમાં પાઈપલાઈન નાખવા પાછળ ખર્ચવામાં આવ્યા છે. ભારતે આ રકમ અનુદાન સહાય હેઠળ ખર્ચી છે. તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech