ઉત્તરાખંડના સમાન નાગરિક સંહિતા બિલને રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજૂરી મળી ગઈ છે. તેની સાથે જ હવે સમાન નાગરિક સંહિતા પર કાયદો બની ગયો છે. દેશની આઝાદી બાદ યુસીસી લાગુ કરનાર ઉત્તરાખડં પહેલું રાય બની ગયું છે તેના માટે ઉત્તરાખડં સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે ઉપનિયમોને બનાવવા માટે ૫ સદસ્યની કમીટીનું ગઠન કયુ છે. જો કે નિયમ બનાવ્યા બાદ ઉત્તરાખડં સરકાર દ્રારા તેને આખા રાયમાં લાગુ કરવામાં આવશે. તેને લઈને સીએમ ધામીએ લોકોને શુભકામનાઓ આપી છે. કહ્યું વિસ્તારમાં સામાજીક સમાનતાની સાર્થકતાને યુસીસી સિદ્ધ કરશે.
આ ૫ સદસ્ય નક્કી કરશે નિયમ
સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ કરવા માટે નિયમ બનાવનાર ૫ સદસ્યો વાળી કમીટીમાં પૂર્વ આઈએએસ શત્રુદન સિંહા, સામાજીક કાર્યકર્તા મનુ ગૌર, દૂન વિશ્વવિધાલયના કુલપતિ સુરેખા ડંગવાલ, અપર પોલીસ મહાનિર્દેશક અમિત સિન્હા અને ઉત્તરાખંડના સ્થાનીક આયુકત અજય મિશ્રા શામેલ છે. આ કમિટી જલ્દી જ એક કરી યુસીસી કાયદો લાગુ કરવા માટે જરી નિયમ ઉપ નિયમ બનાવવાનું કામ શરૂ કરશે.
૬ ફેબ્રુઆરીએ સીએમ ધામીએ રજૂ કયુ હતું બિલ
૬ ફેબ્રુઆરી ૨૦૨૪એ વિધાનસભામાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સમાન નાગરિક સંહિતા ઉત્તરાખંડ–૨૦૨૪ બિલ રજૂ કયુ હતું. મુંખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દ્રારા સદનમાં રજૂ કરવામાં આવેલા બિલમાં ૩૯૨ કલમ હતી. જેમાંથી ફકત ઉત્તરાધિકાર સાથે સંબંધિત કલમની સંખ્યા ૩૨૮ હતી.
કારણ કે સમાન નાગરિક સંહિતા સમવર્તી યાદી ખાસ છે આ વિષય પર રાય અને કેન્દ્ર બન્ને કાયદા બની શકે છે. પરંતુ સમાન મુદ્દા પર કાયદા હોવા પર કેન્દ્રનો કાયદાકીય પ્રભાવ માનવામાં આવે છે. માટે આ બિલને ઉત્તરાખડં વિધાનસભાથી પાસ થવા બાદ રાષ્ટ્ર્રપતિની સ્વીકૃતિ માટે મોકલવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech