પીજીવીસીએલમાં બદલી, બઢતી પામેલાને રિલીવ કરવા રજૂઆત

  • October 18, 2023 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ દ્રારા પીજીવીસીએલમાં દરેક કેટેગરીમાં સમયસર પ્રમોશન આપવા અને અગાઉ નીકળેલા ઓર્ડર મુજબ કર્મચારીઓને તાત્કાલિક કરવા સહિતના પ્રશ્નોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.આ અંગે જનરલ સેક્રેટરી આર સી ગોહીલ, સોસાભાઈ ઉપપ્રમુખ પરમારભાઇ, એડિ. જી.એસ. વાધેલાભાઇ, રાજયગૂભાઈ એડી. જી એસ. સર્કલ સેક્રેટરી યામીનભાઈ, બોટાદ સર્કલ કમલેશ જાદવ વગેરેએ અમરેલી, ભાવનગર, બોટાદ દરેક સર્કલની મુલાકાત લઈ ટેકનિકલ લાઈન એકિસડન્ટ બાબતે, વીકલી ઓફ સમયસર આપવા, ઓફિસ સ્ટાફના મીટર રીડરોમાં રોટેશનનો અમલ કરાવવા, બદલી બઢતીઓ રિલીવ સમયસર થાય તે માટેની રજૂઆત કરવામાં આવી હતી. મેનેજમેન્ટ દ્રારા ટૂક સમયમાં પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવશે તેવી હાકારાત્મક ખાતરી આપવામાં આવી હોવાનું જનરલ સેક્રેટરી મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application