ખેડૂતો માટે આશીર્વાદરૂપ એવી સૌની યોજના હાલ સરકાર દ્વારા કાર્યરત છે. ત્યારે આ યોજના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તેમજ ભાણવડ તાલુકા ઉપરાંત લાલપુર તાલુકાના જુદાજુદા ગામોના લોકોને મળી રહે તે માટે અહીંના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મસરીભાઈ નંદાણીયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
રાજ્યના મંત્રી કુવરજીભાઈ બાવળીયાને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં ખંભાળિયા તાલુકાના જે.પી. દેવળીયા, આંબરડી, બજાણા વિગેરે ઉપરાંત ભાણવડ તાલુકાના ચોખંડા, લાલપુર તાલુકાના ગોવાણા, બબરજર અને ભણગોર સહિતના આશરે 16 જેટલા ગામોને પાણીની જરૂરિયાત સંતોષવા અને ખેડૂતોની માંગણીનું નિરાકરણ લાવવા સૌની યોજના અંતર્ગત આ ગામનો સમાવેશ કરવાની માંગ પીઢ રાજકીય અગ્રણી મશરીભાઈ નંદાણીયા દ્વારા કરવામાં આવી છે.
પત્ર નકલ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સાંસદ પૂનમબેન માડમને પણ મોકલવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMરાજકોટ મનપામાં ભરતીનો મેસેજ વાયરલ, તંત્ર ધંધે લાગ્યું, છેતરપીંડીનો ભોગ ન બનવા અપીલ
April 21, 2025 05:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech