ખેડૂતો માટે આશીર્વાદરૂપ એવી સૌની યોજના હાલ સરકાર દ્વારા કાર્યરત છે. ત્યારે આ યોજના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તેમજ ભાણવડ તાલુકા ઉપરાંત લાલપુર તાલુકાના જુદાજુદા ગામોના લોકોને મળી રહે તે માટે અહીંના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મસરીભાઈ નંદાણીયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
રાજ્યના મંત્રી કુવરજીભાઈ બાવળીયાને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં ખંભાળિયા તાલુકાના જે.પી. દેવળીયા, આંબરડી, બજાણા વિગેરે ઉપરાંત ભાણવડ તાલુકાના ચોખંડા, લાલપુર તાલુકાના ગોવાણા, બબરજર અને ભણગોર સહિતના આશરે 16 જેટલા ગામોને પાણીની જરૂરિયાત સંતોષવા અને ખેડૂતોની માંગણીનું નિરાકરણ લાવવા સૌની યોજના અંતર્ગત આ ગામનો સમાવેશ કરવાની માંગ પીઢ રાજકીય અગ્રણી મશરીભાઈ નંદાણીયા દ્વારા કરવામાં આવી છે.
પત્ર નકલ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સાંસદ પૂનમબેન માડમને પણ મોકલવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech