ખંભાળિયામાં આગામી ગુરૂવાર તારીખ 3 થી આધ્યશક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રીનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં તહેવારના આ દિવસોમાં કોઈ વીજ વિક્ષેપ ન સર્જાય તે માટે સત્તાવાળાઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયા શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર દ્વારા અહીંના વીજ અધિકારીને એક લેખિત આવેદન પત્ર પાઠવીને નવરાત્રી દરમિયાન શહેર તથા આસપાસના વિસ્તારોમાં યોજાતી નાની-મોટી ગરબીના આયોજનમાં હિન્દુ પરિવારની દીકરીઓ અનુષ્ઠાન કરે છે. આ સાથે માઈ ભક્તો નવરાત્રી દરમિયાન ગરબી જોવા સહિતના ધાર્મિક આયોજનોમાં જોડાય છે. ત્યારે આ તહેવારના દિવસોમાં કોઈ વીજ વિક્ષેપ ન થાય તેની ખાસ તકેદારી રાખવા તેમજ આ માટે જરૂરી સમારકામ નવરાત્રી પહેલા જ પૂર્ણ થાય તે માટે રજૂઆત કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિમાચલ પ્રદેશમાં સંજૌલી મસ્જિદ વિવાદ સામે દેવભૂમિ સંઘર્ષ સમિતિનો વિરોધ, કરી આ માંગ
September 28, 2024 01:07 PMસોનીપતની ફટાકડાની ફેક્ટ્રીમાં લાગી ભીષણ આગ, એકનું મોત, અનેક ઈજાગ્રસ્ત
September 28, 2024 12:49 PMયામી ગૌતમ મેટરનિટી બ્રેક પછી ફરી એક્ટીવ
September 28, 2024 12:39 PMરાજકુમાર-તૃપ્તિની ફિલ્મ રીલીઝ થાય તે પહેલા જ વિવાદ
September 28, 2024 12:38 PMસોનાક્ષી આટલી અભિમાની કેમ છે? ઝહીરને મુંજવતો સવાલ
September 28, 2024 12:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech