રાજ્યમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા મોબાઈલ ફોનના વપરાશને લઈને સરકાર ચિંતિત છે. આ મુદ્દે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા ચાલી રહી છે.
મંત્રીએ આગળ જણાવ્યું કે, મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી વિદ્યાર્થીઓનું ભણતર ખરાબ થઈ રહ્યું છે અને તેમના શારીરિક અને માનસિક વિકાસ પર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે. અરવલ્લીમાં થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં મંત્રીએ જણાવ્યું કે, મોબાઈલના કારણે વિદ્યાર્થીઓ આપઘાત જેવા ગંભીર પગલાં ભરી રહ્યા છે. આવી ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક છે.
શિક્ષણ મંત્રીએ વાલીઓને પણ અપીલ કરી છે કે, તેઓ નાની ઉંમરના બાળકોને મોંઘા ફોન ન આપે. બાળકોને અભ્યાસ કરવા માટે પ્રેરિત કરવા જોઈએ. શાળામાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં મોબાઈલ લઈ જવા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું છે. શાળાઓમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ અંગે ચર્ચા ચાલી રહી છે. વિદ્યાર્થીઓ મોબાઈલનાં કારણે આપઘાત કરે તે ગંભીર બાબત છે. તેમજ અરવલ્લીની ઘટના અંગે પણ પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે, સરકારની સાથે સમાજ પણ આવું દૂષણ ડામવા આગળ આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech