સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ ) ધોરણ 10 ની પરીક્ષાનો સમયગાળો એક મહિનાથી ઘટાડીને બે અઠવાડિયા કરતા ઓછો કરવાનું વિચારી રહ્યું છે જેથી આગામી વર્ષથી પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવે. હાલમાં ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાની તારીખ પત્રક એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે વિદ્યાર્થી દ્વારા પસંદ કરાયેલા બે વિષયોના પેપર એક જ તારીખે ન આવે. આ કારણે પરીક્ષાનો સમય એક મહિનો લંબાવવામાં આવે છે. ક્યારેક બે પેપર વચ્ચે ત્રણ થી ૧૦ દિવસનો ગેપ હોય છે. આ વખતે પણ જોઈ શકાય છે કે સીબીએસઈ 10મા બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને 18 માર્ચ સુધી ચાલુ રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ જો વર્ષમાં બે વાર પરીક્ષા લેવાની સિસ્ટમ શરૂ કરવામાં આવે, તો સીબીએસઈ બોર્ડને પેપર વચ્ચેનો તફાવત ઘણો ઓછો કરવો પડી શકે છે, કદાચ એક દિવસનો પણ, જેથી બંને પરીક્ષાઓ યોજી શકાય અને જૂન સુધીમાં તમામ પરિણામો જાહેર કરી શકાય. આનો અર્થ એ થઈ શકે છે કે પરીક્ષાઓ એક અઠવાડિયા કે 10 દિવસમાં પૂરી થઈ જશે. તાજેતરમાં, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં સીબીએસઈ, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને એનસીઇઆરટીના અધિકારીઓ સાથે વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષાઓ લેવાના મુદ્દા પર યોજાયેલી બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
શિક્ષણ મંત્રાલયે બોર્ડને વર્ષમાં બે વાર પરીક્ષાઓ યોજવાની તેની યોજનાનો ડ્રાફ્ટ જાહેર કરવા જણાવ્યું છે જેથી પ્રતિસાદ મળી શકે. પરીક્ષાનું અંતિમ સમયપત્રક તૈયાર કરતા પહેલા સૂચનો પર વિચાર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર પહેલા સીબીએસઈ શાળાઓના ફક્ત ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે બે બોર્ડ પરીક્ષાઓ શરૂ કરવા માંગે છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે ક્યારે શરૂ કરવું તે અંગેનો નિર્ણય ફક્ત ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે બે વાર પરીક્ષા આપવાના અનુભવના આધારે લેવામાં આવશે.
સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં શરૂ થાય છે. આ સમયમર્યાદા કદાચ બે-પરીક્ષા પ્રણાલીમાં પણ ચાલુ રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં શિયાળાના વાતાવરણને કારણે પરીક્ષાઓ વહેલા યોજવી પડકારજનક રહેશે અને શિક્ષણનો સમય ઘટાડી શકે છે.
પહેલી પરીક્ષાનું પરિણામ માર્ચ સુધીમાં જાહેર કરી દેવું જોઈએ. હાલમાં પરિણામ મે મહિનામાં જાહેર થાય છે. એટલે કે પહેલી બોર્ડ પરીક્ષાનું પરિણામ બે મહિના પહેલા જાહેર કરી દેવું જોઈએ. બીજી પરીક્ષા મે મહિનાની શરૂઆતમાં યોજાશે અને પરિણામ જૂનમાં જાહેર થશે.
જાન્યુઆરીની શરૂઆતમાં, ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષાઓ લેવાનો નિર્ણય આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 થી લાગુ કરવામાં આવશે. પ્રધાને એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) ની ભલામણોના આધારે ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણ માટે લાવવામાં આવેલા એનસીએફમાં ભલામણ કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષા આપવાની મંજૂરી આપવી જોઈએ, જેમાં ફક્ત શ્રેષ્ઠ ગુણ જાળવી રાખવામાં આવશે.
આ યોજનાનો અમલ કરતા પહેલા, દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય બોર્ડ, સીબીએસઈ, આગામી શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલાં બંને પરીક્ષાઓ યોજવા, પ્રશ્નપત્રોનું મૂલ્યાંકન પૂર્ણ કરવા અને પરિણામો જાહેર કરવાના પડકારનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા ખાતે સદગુરૂ ક્રિષ્નાનંદજી મહારાજનું પ્રવચન યોજાયુ
April 02, 2025 10:59 AMરાજકોટ માર્કેટ યાર્ડની આવક ૨૬ કરોડથી વધીને ૪૧ કરોડે પહોંચી
April 02, 2025 10:57 AMશસ્ત્રોના વેચાણમાં ભારતનો નવો રેકોર્ડ:૨૩,૬૨૨ કરોડના સંરક્ષણ સાધનોની નિકાસ
April 02, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech