સાયલાના ડોળિયા ગામે વીજશોક લાગતા સગર્ભાનું મોત

  • June 29, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરના સાયલાના ડોળીયા ગામે પરિણીતાને વીજશોક લાગતા બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું.
સાયલાના ડોળીયા ગામે રહેતા ભાવીનાબેન લક્ષમણભાઈ ડોડીયા (ઉ.વ.૩૩) નામના સગર્ભા ગઇકાલે ફળિયામાં કપડાં સુકવી રહ્યા હતા ત્યારે ઓરડીનો લોખંડનો દરવાજો ખોલવા જતા તેમાં જોરદાર વીજકરંટ આવતા શોક લાગવાી બેભાન ઇ ઢળી પડતા પરિવારજનો દોડી આવ્યા હતા. પ્રમ સાયલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મૃતકના લગ્ન યાને ૧૪ વર્ષ જેટલો સમય યો હતો અને સંતાનમાં ત્રણ પુત્રી છે અને પોતે હાલ સગર્ભા હતા. બનાવ અંગે પરિવારજનોના કહેવા મુજબ ફળિયામાં કપડાં સુકવી નિણ લેવું માટે ઓરડીનો દરવાજો ખોલતા ઓરડી ઉપર જીવંત વિજતાર તૂટીને પડ્યો હોઈ તેના કારણે લોખડના દરવાજામા કરંટ આવતા શોક લાગ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે સાયલા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ  કાર્યવાહી.કરી હતી મહિલાના મોતી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application