મૃતકની પત્ની અને બાળકો એ ઘેર પરત આવવા ની ના પાડતાં આપઘાત નું પગલું ભર્યું
જામનગર તાલુકા નાં નારણપર ગામમાં રહતા એક વાળંદ પ્રૌઢે ગઈકાલે રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ પ્રૌઢના પત્ની તથા બાળકો બે મહિના પહેલાં રહેવા માટે જામનગર ચાલ્યા ગયા પછી પરત નારણપર આવવા રાજી થતાં નહી હોવા થી પ્રૌઢે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવા નું જાણવા મળ્યું છે.
જામનગર-સમાણા રોડ પર આવેલા નારણપર ગામમાં રહેતા બાબુભાઈ નામના વાળંદ પ્રૌઢે ગઈરાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ બે મહિના પહેલાં બાબુભાઈના પત્ની તથા તેમના બાળકો બાબુભાઈને નારણપર ગામમાં એકલા મૂકી રહેવા માટે જામનગર ચાલ્યા ગયા હતા. તે પછી પત્ની, બાળકોને પરત આવી જવા બાબુભાઈ સમજાવટ કરતા હતા અને ગઈકાલે પણ તેઓ સમજાવટ માટે જામનગર આવ્યા હતા.
તેઓની સમજાવટ પછી પણ તેમના પત્ની અને બાળકો નારણપર પરત આવવા માટે રાજી ન થતાં ગઈકાલે બાબુભાઈ પરત આવ્યા હતા અને તેઓએ ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech