કાશી વિશ્વનાથ ધામમાં પ્રસાદની તપાસ કરવામાં આવી, જાણો શું કહ્યું ડેપ્યુટી કલેક્ટરે

  • September 21, 2024 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ચરબી મળી હોવાના અહેવાલ બાદ સનાતન ધર્મના લોકો સહિત તમામ લોકોમાં રોષ છે. આ ઘટના સામે આવ્યા બાદ કાશીમાં પ્રસાદને લઈને સાવધાની વર્તવામાં આવી છે.  જેના ભાગરૂપે આજે સવારે અચાનક ડેપ્યુટી કલેક્ટર શંભુ શરણે કાશી વિશ્વનાથ મંદિરમાં પહોચ્યા હતા.અને પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરી હતી .


ડેપ્યુટી કલેક્ટર શંભુ શરણે કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રસાદની ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી કરી હતી. તેમણે જ્યાં પ્રસાદ બનાવવામાં આવે છે તે સ્થળનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન, અધિકારીએ કડક સૂચના આપી અને કહ્યું કે નિયમોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application