દ્રારકા ખાતે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના પ્રાકટ્ય ઉત્સવ ઉજવાયો

  • September 19, 2023 11:44 AM 

સ્વતંત્રા સંગ્રામ સેનાની પૂજ્યપાદ અનંતશ્રીવિભૂષિત જ્યોતિષપીઠાધીશ્વર એવં દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય બ્રહ્મલીન સ્વામીશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજશ્રી નો જન્મ શતાબ્દી મહોત્સવ વિક્રમ સં. ૨૦૭૯ ભાદરવા સુદ ત્રીજ (કેવડા ત્રીજ) તા. ૧૮ ૦૯/૨૦૨૩ સોમવારના દિવસે ખૂબ જ ઉલ્લાસપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો. જેમાં પૂજ્યપાદ અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રી પાવન સાનિધ્યમાં જન્મોત્સવ ભવ્યતા પૂર્વક ઉજવણી કરવામાં આવી . આ પાવન જન્મોત્સવમાં ભગવાન ચંદ્રમૌલીશ્વર મહાદેવનો રુદ્રાભિષેક, પ્રભુશ્રી દ્વારકાધીશજીની ધ્વજાજીનું પૂજન એવં પૂજ્યપાદશ્રી જગદ્ગુરુ શંકરાચાર્યજીનું પાદુકા પૂજન, ગુગ્ગળી જ્ઞાતિ ૫૦૫ સમસ્ત દ્વારા બ્રહ્મભોજન, પ્રભુશ્રી દ્વારકાધીશજી અન્નકુટ ઉત્સવ તેમજ શ્રીશારદાપીઠ વિદ્યાસભા સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા અનેક વિધ ધાર્મિક ઉત્સવો શારદાપીઠ ખાતે સમપન્ન થયા. ઉપરોક્ત કાર્યક્રમમાં સમગ્ર સનાતનધર્માનુરાગી ગુરૂભક્ત ને સહપરિવાર ઈષ્ટમિત્ર સાથે પધારવા શારદાપીઠ પરિવાર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application