આ અંગેની હકીકત મુજબ, ઉપલેટા પોસ્ટ ઓફિસમાં સરકારી સહાયના લાભાર્થીઓના બોગસ બચત ખાતા ખોલી બલદેવ મનોજભાઈ ગામોટે મોટી રકમની ઉચાપત કરી હોવાનો ભારતીય દંડ સંહિતાની કલમ 409, 465, 467, 468, 471 મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં ઉપલેટા પીએસઆઇ ભટ્ટની તપાસ દરમિયાન પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 13(1) મુજબના ગુનાની કલમ ઉમેરો થતા, આગળની તપાસ ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજ દ્વારા કરવામાં આવી હતી. જે તપાસ હજુ પણ ચાલુ છે. દરમિયાન મનોજ બલદેવભાઈ ગામોટે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી
તે જામીન અરજી નામંજૂર કરવા માટે સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મનોજભાઈ પારેખએ દલીલ કરીને જણાવેલું હતું કે બે અરજદારના તદ્દન ખોટા નામ સાથે ખાતા ખોલેલા છે. જેમના નામના ખાતા છે તે વ્યક્તિને કોઈ હકીકતની ખબર નથી, બલદેવ મનોજભાઈ ગામોટે તમને સરકારી સહાય મળશે તેમ કહી અને તેમના આધારકાર્ડની નકલ મેળવી અને તે ખાતાનો દુરુપયોગ કરી નાણાંની ઉચાપત કરેલી છે અને તે નાણા અંગત ઉપયોગમાં વાપરેલા છે. આવા ભ્રષ્ટાચારને કારણે દેશ આર્થિક રીતે ખોખલો થતો જાય છે, તે તમામ હકીકત સાથે જોવામાં આવે તો હાલના અરજદારનો ગુનો સામાન્ય નથી. ગુનાના મૂળ સુધી પહોંચવા માટે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે. આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને આગોતરા જામીન ન આપવા દલીલ કરી હતી. જે ધ્યાને લઈ ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે ગરીબો માટેના સરકારી નાણાના ભ્રષ્ટાચારને હળવાશથી લઈ શકાય નહીં તેવા મુદ્દાને ધ્યાને લઇ અને આરોપી બલદેવ મનોજભાઈ ગામોટના આગોતરા જામીન અરજી રદ કરી છે. આ કામમાં સરકાર પક્ષે મદદની સરકારી વકીલ કાર્તિકેય પારેખ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: રણજીતસાગર રોડ સહિતના વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદે દબાણ દુર કરતી મહાનગરપાલિકા
April 23, 2025 01:25 PMજામનગર: મોમાઈ નગરના રહીશોએ આપ્યું આવેદન
April 23, 2025 01:22 PM૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech