રતનપર નજીક કાર અડફેટે બાઈક ચડી જતા પોસ્ટમેન રાજેશભાઈ સુરાણીનું મોત

  • March 04, 2025 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-મોરબી રોડ પર રતનપર નજીક પુરપાટ ઝડપે જતી કારેએ બાઇકને ઠોકરે લેતા બાઈક સવાર આધેડનુ ગંભીર ઇજા થવાથી મોત થયું હતું. આધેડ કોઠારીયામાં પોસ્ટમેન્ટ તરીકે નોકરી કરતા હોવાથી સવારે મોરબીથી કોઠારીયા નોકરીએ જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.


પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં કન્યા છાત્રાલય રોડ પર ધર્મવિજય સોસોયટીમાં આવેલા શિવમ હાઈટ્સમાં રહેતા રાજેશભાઈ શિવલાલભાઈ સુરાણી (ઉ.વ.54) નામના આધેડ ગઈકાલે સવારે પોતાનું મોટરસાઇકલ લઈ મોરબીથી કોઠરીયા જતા હતા ત્યારે રતનપર અને હડાળા વચ્ચે પુરપાટ ઝડપે આવતી કારએ મોટરસાઈકલને ઠોકરે લેતા આધેડ રોડ પર પટકાતા ગંભીર ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રાજેશભાઈ કોઠારીયા ગામની પોસ્ટઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી કરતા હતા. સંતાનમાં બે પુત્ર છે. બનાવના પગલે પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા કારચાલક સામે મૃતકના પુત્રની ફરિયાદના આધારે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application