સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં તા.15થી અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ

  • July 10, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 15 જુલાઈ થી પરીક્ષાનો બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. નવા શૈક્ષણિક સત્રમાં કોલેજો ખુલ્યાના બીજા જ દિવસથી પરીક્ષા લેવાયા પછી હવે બીજા તબક્કામાં તારીખ 15 જુલાઈ થી જુદા જુદા 24 કોર્ષની પરીક્ષા લેવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ અનુસ્નાતક કક્ષાની આ પરીક્ષામાં બીએ, બીકોમ અને એમએએમકોમના સેમેસ્ટર 4,6 અને 7 ની પરીક્ષા લેવામાં આવનારી છે. પરીક્ષાનો સમય સવારે 10 થી બપોરના 12- 30 સુધીનો અઢી કલાકનો રાખવામાં આવ્યો છે.
બી.એમાં રેગ્યુલર- એક્સટર્નલ સેમેસ્ટર 6 બી એસ ડબલ્યુ સેમેસ્ટર 6 એમ.એ તમામ સેમેસ્ટર બીબીએ સેમેસ્ટર 6 બીએચટીએમ સેમેસ્ટર સાત બીકોમ સેમેસ્ટર 6 એમકોમ સેમેસ્ટર ચાર બીસીએ બીએસસી આઈટી બીએસસી સેમેસ્ટર 6 સહિતની પરીક્ષાઓ લેવામાં આવશે.
15 જુલાઈથી શરૂ થતી આ પરીક્ષાઓ 23 જુલાઈ સુધી ચાલુ રહેશે. પરીક્ષામાં ચોરી અને ગેરરીતી અટકાવવા માટે જુદી જુદી ટીમની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત જે કોલેજોમાં પરીક્ષા કેન્દ્ર હોય ત્યાં જ સીસીટીવીની વ્યવસ્થા ફરજિયાત બનાવવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે સરકારી હોસ્પિટલના ડોક્ટર કમલભાઈ ડોડીયાની નિમણૂક કરવામાં આવી છે. તેમના માટે આ પ્રથમ પરીક્ષા છે. જોકે અગાઉ 2018 માં તેમણે થોડા સમય માટે ઇન્ચાર્જ કુલપતિની જવાબદારી સંભાળી હોવાથી આ અંગેનો અનુભવ છે. આવી જ રીતે પરીક્ષા નિયામક નિલેશ સોનીએ રાજીનામું આપીને લાઇબ્રેરીયન તરીકેની પોતાની મૂળભૂત જવાબદારી સ્વીકારી છે અને હવે તે પરીક્ષા નિયામકના ચાર્જમાં રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application