ધનતેરસ અને દિવાળીના પવિત્ર તહેવારો નજીક છે અને ધન, વૈભવ, સુખ, શાંતિની દેવી શ્રી મહાલક્ષ્મી માતાજીને વધાવવા પોરબંદરના ડ્રીમલેન્ડ સિનેમા નજીક આવેલ શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરને તથા સમગ્ર સંકુલને રોશનીથી શણગારવામાં આવ્યું છે તેમજ આજુબાજુના વિસ્તારમાં પણ રોશની કરવામાં આવી છે.લોકોની ભીડ અત્યારથી જ઼ મંદિર ખાતે માતાજીના દર્શન માટે ઉમટી પડી રહી છે.અહીંયા દિવાળીના ઉત્સવના દિવસો દરમિયાન ૧૦૧ યુગલો દ્વારા ધનતેરસના દિવસે માતાજીનું પુજન અને મહાઆરતી ઉપરાંત ૫૫ લાખની ચલણી નોટોના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત મંદિર ખાતે ૨૧૦૦૦ જેટલી કંકુની ડબ્બી તૈયાર કરવામાં આવી છે જે સૌભાગ્યવતી સ્ત્રીઓને સંપુર્ણપણે વિનામુલ્યે પ્રસાદીપે આપવામાં આવશે. સમગ્ર આયોજન મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા સુંદર રીતે થઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGPSCના ચેરમેન તરીકે IPS હસમુખ પટેલની નિમણૂંક
October 28, 2024 07:28 PMરાજ્યમાં ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત, અમદાવાદ એરપોર્ટ પરથી 7 કિલો ગાંજા સાથે 7ની ધરપકડ
October 28, 2024 07:27 PMશિલ્પા શેટ્ટીના ફાઇન-ડાઇનિંગ રેસ્ટોરન્ટની બહારથી BMWની ચોરી
October 28, 2024 05:59 PMતહેવારો અનુસંધાને શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
October 28, 2024 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech