પોરબંદર: માણેકચોક શાક માર્કેટમાં છત ધડાકાભેર પડી: જાનહાની નહીં

  • June 15, 2023 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરની માણેકચોક શાકમાર્કેટમાં વહેલી સવારે છત ધડાકાભેર પડી હતી. સદનસીબે કોઇ વેપારી, ધંધાર્થી કે ગ્રાહકો એ સમયે હાજર નહીં હોવાથી કોઇને ઇજા કે જાનહાની થયા નથી. બનાવની વિગત એવી છે કે પોરબંદરના માણેકચોકમાં આવેલી અને નટવરચોક  શાકમાર્કેટ તરીકે ઓળખાતી મુખ્ય શાકમાર્કેટ નગરપાલિકા સંચાલિત છે અને  આ શાકમાર્કેટની જર્જરિત હાલત અંગે અગાઉ અનેક વખત રજૂઆત થઇ હોવા છતાં નગરપાલિકાનું તંત્ર સમારકામ માટે ગંભીર બન્યું નથી ત્યારે  પવન અને વરસાદને કારણે છત ધડાકાભેર પડી હતી. વહેલી સવારે બનાવ બન્યો ત્યારે કોઇ હાજર નહીં હોવાથી  જાનહાની કે ઇજા થયા નથી પરંતુ છત પડી તેનાથી  વેપારીને મોટું નુકશાન થયું છે. નગરપાલિકાના તંત્રને વારંવાર રજુઆત કરવામાં આવતી હોવા છતાં તંત્રએ આ બાબતને ગંભીરતાથી લીધી નથી ત્યારે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડયો છે તેમ જણાવી ધંધાર્થીઓએ  આક્રોશ ઠાલવ્યો હતો અને શાકમાર્કેટમાં જીવના જોખમે વેપારધંધો કરતા વેપારીઓને પૂરતી વ્યવસ્થા કરી આપવી જોઇએ તે જ‚રી બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application