પોરબંદરમાં પોલીસતંત્રએ સાડા આઠ હજારપિયાના સેમસંગ મોબાઇલથી માંડીને ૬૫ હજાર પિયાના આઇફોન પણ ગુમ થયા હોવાથી શોધીને તેમના મૂળ માલિકને પરત કર્યા છે અને ૨ લાખ ૧૫ હજાર જેટલી કિંમતના દસ મોબાઇલ પરત આપવામાં આવ્યા હતા.
જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા અંગેની ખાસ સુચના આપેલ જે અંગે પોરબંદર શહેર વિભાગના એ.એસ.પી. સાહિત્યા વી.ના માર્ગદર્શન નીચે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.જે. ચૌધરીની રાહબરી હેઠળ કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ કુલ ૧૦ મોબાઇલફોન શોધી કાઢી અરજદારોને બમાં સોંપવામાં આવ્યા.
ગુમ થયેલ મોબાઇલ અંગે અરજદારો દ્વારા કરવામાં આવતી અરજી અન્વયે સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ સી.ઇ.આઇ.આર. પોર્ટલ દ્વારા ખારવાવાડના પંચહાટડી પોરબંદરના હર્ષતાબેન રમેશભાઇ મોતીવરસનો ૧૨ હજારની કિંમતનો ફોન, બોખીરા તુંબડાના મહેન્દ્ર રામભાઇ ઓડેદરાનો ા.૧૩,૯૯૯ની કિંમતનો ફોન, જૂનાગઢના જોષીપરામાં રહેતા કમલેશ નાથાભાઇ રાવલનો ૬૪,૯૦૦ા.ની કિંમતનો આઇ.ફોન, બોખીરાના કે.કે.નગર ખાતે રહેતા ખીમજીભાઇ જાદવભાઇ બાદરશાહીનો ૧૨,૪૯૯ની કિંમતનો ફોન, નગીનદાસ મોદી પ્લોટ પોરબંદર ખાતે રહેતા દીપક માવજીભાઇ ઝાલાનો ૮,૫૦૦ ા.ની કિંમતનો ફોન, પોરબંદરના વીરડીપ્લોટ ખાતે રહેતા સલીમ કાસમ મુકાદમનો ૧૧,૫૦૦ની કિંમતનો ફોન, રોકડીયા હનુમાન પાસે રહેતા અરભમ વિરમભાઇ મોઢવાડીયાનો ૩૦,૦૦૦ની કિંમતનો આઇ.ફોન, પોરબંદરના કે.કે.નગરમાં રહેતા સીકંદર મહમદભાઇ પરમારનો ૧૨,૦૦૦ની કિંમતનો ફોન, પોરબંદરના ગુરુકુળ ગેટ પાસે રહેતા હીરેન નંદલાલ વાજાનો ૩૯,૯૯૯ની કિંમતનો ફોન, ઠકકરપ્લોટ તકીયાપાછળ રહેતા રહીમભાઇ જુસબભાઇ નીગમણાનો ા. ૧૦,૨૪૯ ા.નો ફોન મળી અરજદારોના મોબાઇલ ફોન નંગ -૧૦ કુલ કિ.ા. ૨,૧૫,૧૪૬ના શોધી કાઢી પરત સોંપેલ છે. આ કામગીરીમાં પી.આઇ. જે.જે. ચૌધરી, એ.એસ. આઇ. ડી.પી.વ, હેડ કોન્સ્ટેબલ બી.ડી. ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ હોથીભાઇ અરજણભાઇ, પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઇ માલદેભાઇ, પોલીસ કોન્સ્ટેબલ જયભાઇ રમેશભાઇ,પોલીસ કોન્સ્ટેબલ કીર્તિબેન ભરતભાઇ રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરની આતંકવાદી ઘટનાનો જામનગરમાં કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે વિરોધ પ્રદર્શન
April 23, 2025 07:34 PMજામનગરમાં SOG PI નો ડુપ્લીકેટ રાઇટર ઝડપાયો, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વિગતો આપી
April 23, 2025 07:17 PMજામનગર ABVP દ્વારા કશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાનો વિરોધ કરાયો
April 23, 2025 07:16 PMપહલગામ હુમલા સરકાર એક્શનમાં, PM આવાસ પર CCSની બેઠક શરૂ
April 23, 2025 07:12 PMજામનગરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 06:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech