પોરબંદરના વૃધ્ધા સામે પોલીસે અંતે નોંધ્યો નોનકોગ્નીઝેબલ ગુન્હો

  • May 28, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ એવા કાંધલ જાડેજાના નાનાભાઇ વિ‚ધ્ધ સોશ્યલ મીડિયામાં ૬૮ વર્ષના વૃધ્ધાએ વીડિયો વાયરલ કરીને અને ત્યારબાદ પોલીસને ફરિયાદ અરજી આપીને તેમની ફટાણાની જમીન કાના જાડેજા અને અન્ય ત્રણ ઇસમોએ વ્યવસ્થિત રીતે પચાવી પાડયાનો ઉલ્લેખ કર્યો હતો અને જિલ્લા પોલીસવડા મદદ કરે તેવી અપીલ પણ કરી હતી પરંતુ હવે આ  બનાવમાં પોલીસને જ આ વૃધ્ધાએ ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવ્યાનું જણાતા આ ૬૮ વર્ષના વૃધ્ધા સામે ઉદ્યોગનગરના પોલીસ ઇન્સ્પેકટર જાતે ફરિયાદી બન્યા છે અને નોનકોગ્નીઝેબલ ગુન્હો દાખલ કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોના પ્રશ્ર્નો, રજૂઆત, અરજી સંબંધે ત્વરીત કાર્યવાહી કરી પ્રશ્ર્નો રજુઆત, અરજીનું નિરાકરણ કરવા જણાવેલ હોય જે સરકારના પ્રજાલક્ષી અભિગમને સાર્થક કરવા જુનાગઢ રેન્જના આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા પોરબંદર ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુએ સુચના આપેલ હોય અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન માં અરજી તા. ૧૩-૫-૨૦૨૫ના કામે અરજદાર દેવીબેન જીવાભાઇ હાજાભાઇ મોઢવાડીયા ઉ.વ. ૬૮ રહે. શ્રીજીપાર્ક બજાજ શો‚મ પાછળ, પોરબંદરવાળાએ સામાવાળા કાનાભાઇ સરમણભાઇ જાડેજા, સતીષ દેવા મુશાળ ઉર્ફે (ચના) અને મુકેશભાઇ ભીમામાઇ કડછા વિ‚ધ્ધમાં અરજી કરેલ કે  તા.જી. પોરબંદર ફટાણા ગામના સર્વેને ૧૦૭૩ હે.આ.ચો.મી. હે, ૩-૧૧-૯૨માં અમારી જમીન આવેલ અને જે જમીનની બજારકિંમત આશરે દોઢથી બે કરોડ ‚પિયાની હોય અને જે જમીન સામાવાળાઓએ ‚ા. ૮૦,૦૦૦,૦૦માં અમારી પાસેથી ખરીદવાનું નકકી કરીને તેઓએ અમારી જમીન ખરીદી અને ‚ા. ૪૧,૧૮,૦૦૦નો દસ્તાવેજ બનાવી અને અમને ‚ા. ૪૧,૧૮,૦૦૦ના ચેકો આપીને તે ‚પિયા અમારા ખાતામાં જમા કરાવડાવી અને સામાવાળાઓ અમને અમારા  ઘરેથી ઉપાડી જઇને એ તમામ ‚પિયા પરત ઉપડાવી અને સામાવાળાઓ ભેગા મળીને અમારી જમીન પચાવી ગયેલ હોવા બાબતેનો ઉલ્લેખ કરીને અરજી કરેલ  હોય અને અરજદારની અરજી બાબતે અત્રે પોલીસ સ્ટેશન ખાતેથી કાર્યવાહી ચાલુ હોય અને અરજદારને જે બાબતની જાણ હોય અને પોતે કાયદેસરની માહિતી આપવા બંધાયેલા હોય, તેમ છતાં તેઓએ કરેલ પ્રથમ અરજી તથા પ્રથમ અરજીના કામે લખાવેલ નિવેદન બાદ અરજદારે સ્ટેમ્પ  પેપર ઉપર સોગંદનામુ કરીને તા. ૨૬-૫-૨૦૨૫ના રોજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં  નવી અરજી આપેલ જેમાં પોતે હકીકત  જણાવેલ કે અમે સામાવાળાઓને અમારી માલિકીની જમીન વેચાણથી આપેલ હતી તે અંગેની અવેજની મુદત પુરી થયેલ ન હતી. અને અમોને એમ કે એ મુદતની તારીખ વીતેલ હોય, આવી ગેરસમજના હિસાબે  અમે ઉપરોકત બાબતે અરજી કરેલ હતી અને આમા સામાવાળા કાનાભાઇ સરમણભાઇ જાડેજાની આ બાબતે કોઇપણ જાતની ભૂમિકા રહેલ ન હતી 
(અનુ. છઠ્ઠા પાને)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application