સાવરકુંડલાના ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક ન્હાવા પડતાં ડૂબ્યાં, બેનાં કરુણ મોત, એકનો બચાવ

  • May 30, 2025 06:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલામાં કરૂણાંતિકાનો બનાવ સામે આવ્યો છે. અહીં ભેંસણિયા ડેમમાં ત્રણ બાલકો ન્હાવા પડ્યા હતા. જેમાં બે બાળકના કરૂણ મોત થયા છે અને એકનો બચાવ થયો છે. આ બનાવથી મૃતક બાળકોના પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. 

મૃતક બાળકોના નામ

કૃણાલ અશ્વિનભાઈ સોલંકી (ઉં.વ. 14)

મંત્ર રાજદીપભાઈ મસરાણી (ઉં.વ. 10)


બચાવ થયો તે બાળકનું નામ

મોહિત મનીષભાઈ સોલંકી (ઉં.વ.13)

મળતી માહિતી મુજબ, સાવરકુંડલામાં ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નાહવા પડતાં બેનાં કરુણ મોત, એકનો આબાદ બચાવ થયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આકાશી મેલડી મંદિર પાસે આવેલા ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નાહવા પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે બાળકનાં કરુણ મોત થયાં છે, જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે.


સ્થાનિક તરવૈયા અને ફાયર ટીમની કામગીરી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયા અને ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડૂબેલાં બે બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફત સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા.


પરિવારજનોનું હૈયાફાટ રુદન

મૃતક કૃણાલના ફઈને આઘાત લાગતાં તેમણે પોતાના માથા પર પથ્થર મારીને પોતાને ઇજાગ્રસ્ત કરી લીધાં હતાં. સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોના હૈયાફાટ રુદનભર્યાં દૃશ્યો સર્જાયાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application