જામનગરના વેપારી સાથે પાડોશી દ્વારા રૂપિયા અઢી લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ

  • July 20, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંબંધ દાવે ૩ લાખ લીધા પછી ૫૦ હજાર ચૂકવી અઢી લાખનો ખોટી સહીવાળા ચેક પધરાવી દઈ છેતરપિંડી આચરી


જામનગર માં નીલકમલ સોસાયટીમાં રહેતા એક વેપારી સાથે સંબંધ દાવે રૂપિયા ૩ લાખ લીધા પછી માત્ર ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવી અઢી લાખ રૂપિયાનો ખોટી સહી વાળો ચેક પધરાવી દઈ  છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.


આ ફરિયાદ અંગેના બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા વિશાલભાઈ વિનોદરાય ખખ્ખર નામના વેપારી પાસેથી તેના પાડોશમાજ રહેતા મુકેશ રામભાઈ રાઠોડ નામના શખ્સે ત્રણ લાખ રૂપિયા લીધા હતા, અને તેની પરત ચુકવણીના ભાગરૂપે ૫૦ હજાર રૂપિયા રોકડા પરત આપ્યા હતા, જ્યારે બાકીની અઢી લાખની રકમનો ચેક લખી આપ્યો હતો.


જે ચેક અંગેની ખરાઈ કરતાં ઉપરોક્ત ચેક ખોટી સહી વાળો હોવાથી બેંકમાંથી પાછો ફર્યો હતો. જેથી વેપારીએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવી જામનગરના સીટી સી. ડિવિઝન નો સંપર્ક સાધ્યો હતો, અને મુકેશ રાઠોડ સામે રૂપિયા અઢી લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ ૪૦૬ અને ૪૨૦ મુજબ ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application