જૂનાગઢમાં અંબાજી મંદિરના મહતં મોટા પીર બાવા તનસુખગીરી બાપુના દેહ વિલય બાદ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે અંબાજી મંદિરના મહંતની નિમણૂક ચાદરવિધિ મામલે તનસુખગીરી બાપુના પરિવારજનો બાદ હવે ગિરનાર અંબાજી મંદિરના ટ્રસ્ટી તથા નાના પીર બાવા પણ ભવનાથ મંદિરના મહતં હરિ ગીરીબાપુ સામે મેદાને પડા છે. નાના પીર બાવા મહંતશ્રી હિમાંશુ ગીરીજી ગુ ગણપતગીરીજી દ્રારા એ ડિવિઝનમાં ભવનાથ મંદિરના મહતં હરિ ગીરીબાપુ તથા પ્રેમગીરી સામે આપેલ લેખિત ફરિયાદમાં બંનેએ બ્રહ્મલીન મહતં તનસુખગીરીજી બાપુની તમામ સંસ્થાઓ મિલકતો પર કબજો કરવા ભીડભંજન મંદિરમાં અનઅધિકૃત રીતે પ્રવેશ કરી ગુ શિષ્યની પરંપરાની વિદ્ધમાં પરંપરા અવગણી , ટ્રસ્ટના નિયમને નેવે મૂકી અને પરંપરા વિદ્ધમાં પ્રેમગીરીજીની મહતં તરીકે નિમણૂક કરવા મામલે હરીગીરી બાપુ અને પ્રેમગીરી સામે કાર્યવાહી કરવા એ ડિવિઝનમાં લેખિત ફરિયાદ કરતા ભવનાથ મંદિરના મહતં હરિ ગીરીબાપુ સામે વધુ એક લેખિત ફરિયાદથી આગામી દિવસોમાં અંબાજી મંદિર મામલે પણ નવાજૂનીના એંધાણ થવાની ભીતિ સેવાઈ રહી છે.
જૂનાગઢમાં જગમાલ ચોક નીલકઠં મહાદેવ મંદિર મઠ ખાતે રહેતા નાના પીર બાવા મહંતશ્રી હિમાંશુગીરીજી ગુ ગણપતગીરીજી દ્રારા એ ડિવિઝનમાં ગઈકાલે રાત્રે લેખિત ફરિયાદ આપી હતી જેમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ ગિરનાર પર્વત ઉપર અંબાજી માતાજી મંદિર તેમજ નીલકઠં મહાદેવ મંદિર તથા ગુ દત્તાત્રેય શિખર ટ્રસ્ટી અને અખાડાના નિયમ અનુસાર કસ્ટમરી ટ્રેડિશન મુજબ નાના પીરબાવા તરીકે ધરાવીએ છીએ અને વર્ષેાથી તનસુખગીરી બાપુ સાથે જોડાયેલા છીએ અને નાના પીરબાવા તરીકે અંબાજી મંદિરના ટ્રસ્ટી અને મહતં તરીકે કાર્યરત છીએ.તા.૧૯ નવેમ્બરના મોટા પીર બાવા તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ સમાધિની વિધિ અને પાલખી યાત્રા પરંપરા મુજબ કરવાની થતી હોય છે. આ વિધિમાં બ્રહ્મલીન બાપુના સીધા વારસો, સેવકો અને શિષ્યો દ્રારા બધી વિધિ કરવાની હોય છે તેમાં સ્થાનિક સંતો મહંતો પણ ભાગ લેતા હોય છે પરંતુ ભવનાથના મહતં તરીકે કાર્યરત હરીગીરીજી બાપુએ અખાડામાં મહત્વ કે ઐંચો હોદો ભોગવી રહેલા હોય તેઓએ પ્રેમ ગીરી અને તેના મળતીયાને સાથે રાખી એક સપં કરી પોતાનો ઈરાદો પાર પાડવા હેતુસર બ્રહ્મલીન મહતં તનસુખગીરી બાપુની તમામ સંસ્થાઓ, મિલકતો,દેવસ્થાનો પર અનઅધિકૃત રીતે કબજો કરવા યોજના બદ્ધ કાવતં કરી, ટ્રસ્ટના નિયમને નેવે મૂકી કાયદો હાથમાં લઇ હરિ બાપુએ હોદાની એ ભીડભંજન મંદિરમાં સમાધિ અને ધૂળ લોટ વિધિના દિવસે અપ પ્રવેશ કરી ગુ– શિષ્યની પરંપરા વિદ્ધ અને બ્રહ્મલીન મહંતના નજીકના લોકોને અવગણીને બળના જોરે કાયદાથી વિદ્ધ ટ્રસ્ટના કાયદાઓને નેવે મૂકીને નાના પીર બાવા અને બ્રહ્મલીન મહંતના પરિવારજનો સાથે બળ પ્રયોગ કરી તન સુખીગીરીજી બાપુની સંસ્થા અને મિલકત પર પ્રેમ ગીરીને ભીડભંજન મહાદેવ મંદિર અને અંબાજી મંદિરના મહતં તરીકે બેસાડી પરંપરાનું અનુકરણ કયુ નથી.નિયમ મુજબ બ્રહ્મલીન મહંતના પરિવારજનો તથા નાના પીરબાવા સહિતનાને વિધિમા સાથે રાખવા જોઈએ પરંતુ તેઓને પૂછયા વગર જ સમગ્ર વિધિ પૂર્ણ કરી મહંતની નિમણૂક કરી દેવામાં આવી છે. ફરિયાદમાં તો તેમ પણ જણાવ્યું છે કે ભવનાથ મંદિરના મહતં હરિ ગીરીબાપુએ કાયદો હાથમાં લઈ તેના હોદ્દાની એ ખોટા દસ્તાવેજ ઉભા કરી કરાવી લેવાની તૈયારી સાથે અપ પ્રવેશ કરી આપ શબ્દો અને ધમકીઓ પણ આપી હતી જેથી ગુનાહિત કૃત્ય કરવા બદલ તેની સામે ધોરણસર ની કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરી છે. ગઈકાલે રાત્રે નાના પીર બાવા સાથે સેવકો પણ સાથે રહ્યા હતા.
જેથી નાના પીરબાવા મહંતશ્રી હિમાંશુ ગિરીજીએ એ ડિવિઝનમાં ભવનાથ મંદિરના મહતં હરિ ગીરીજી મહારાજ તથા એની સાથે રહેલ પ્રેમગીરી સામે કાયદો હાથમાં લઇ કાયદાઓની જોગવાઈનો ભગં કરી અને નિયમ કે પૂછયા વગર જ મહતં તરીકે અન્યની નિમણૂક કરવા બદલ અને અનઅધિકૃત રીતે મિલકતો પર કબજો કરવા કાયદો હાથમાં લેવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરતા અગાઉ દિવંગત મહંતના પરિવારજનો બાદ હવે નાના પીરબાવા પણ હરી ગીરીબાપુ સામે આવતા એક બાદ એક સંતો મહંતો સામસામે આવી રહ્યા છે .જેથી એ ડિવિઝનમાં કરાવી લેખિત ફરિયાદ મામલે ભાવિકો અને સેવકોની તત્રં અને પોલીસની કાર્યવાહી તરફ મીટ મંડાઈ છે.
પ્રેમગિરિ સામે સૃષ્ટ્રિ વિરુધ્ધના કૃત્યનો આરોપ
નાના પીર બાવા દ્રારા એ ડિવિઝનમાં અપાયેલી લેખિત ફરિયાદમાં ભવનાથ મંદિરના મહતં હરિ ગીરીબાપુએ પ્રેમગીરીની અંબાજી મંદિરના મહતં તરીકે નિમણૂક કરવામાં આવી છે તે પ્રેમગીરી સામે સૃષ્ટ્રિ વિદ્ધના કૃત્ય સંબંધીના પણ ગંભીર આરોપ હોવાનું ફરિયાદમાં ઉલ્લ ેખ કરાયો છે.
તનસુખગિરિબાપુ પચં ગુરૂ પરંપરા મુજબ મહેશગિરિબાપુના ચોટી ગુરૂ
લેખિત ફરિયાદમાં નાના પીર બાવા દ્રારા જણાવવામાં આવ્યું છે કે અંબાજી મંદિર બાદ ગિરનાર પર્વત ઉપર આવેલ કમંડળ કુંડનો વહીવટ મહતં તરીકે મહેશ ગીરીબાપુ કરી રહ્યા છે અને અંબાજી મંદિરની વ્યવસ્થાઓ સંબંધે પણ તેઓ દ્રારા તનસુખ ગીરીબાપુ ગુદત્ત ગીરીબાપુને સાથ સહકાર આપેલ છે તેમજ નાના પીરબાવાની જાણમાં છે કે તનસુખગીરી બાપુ પચં ગુ પરંપરા મુજબ કમંડળ કુંડના મહતં મહેશ ગીરીબાપુના ચોટી ગુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જૂનથી ઓગસ્ટ દરમિયાન કરી શકાશે અરજી
April 26, 2025 11:03 PMતાલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો શુભારંભ, પ્રથમ દિવસે 1200 રૂપિયા સુધી ભાવ બોલાયા
April 26, 2025 11:02 PMજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech