મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા ગઈકાલે સવારે ઘોઘાગેટ, મુખ્ય બજાર તેમજ આંબાચોક સહિત આજુબાજુના વિસ્તારોમાંથી નાના-મોટા અસ્થાઈ દબાણો હટાવી માલ-સામાન જપ્ત કરવામાં આવ્યા બાદ સૌથી ગીચ અને ટ્રાફિકથી સતત ભરચક રહેતા પીરછલ્લા વિસ્તારમાં ટીમ ત્રાટકી હતી. જેમાં રોડ પર અડચણરૂપ નાના-મોટા અસ્થાઈ દબાણો જેમાં વેપારીઓ દ્વારા જાહેર રોડ પર રાખવામાં આવેલી વસ્તુઓ, કાઉન્ટર, ટેબલ તેમજ અન્ય વસ્તુઓ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહાપાલિકા દ્વારા દિવાળીન તહેવારો સંદર્ભે લોકો મોટી સંખ્યામાં નીકળતા હોય લોકોને કોઈ સમસ્યા ન નડે અને ટ્રાફિક નિયમન જળવાય રહે તે માટે બજાર વિસ્તારન દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેનો દબાણકર્તાઓ તેમજ વેપારીઓ દ્વારા વિરોધ કરી તહેવારોના દિવસોમાં દબાણ હટાવ કાર્યવાહી ન કરવા માંગ કરાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહર્ષદ પહોંચેલી શોભાયાત્રાનું મંત્રી દ્વારા ભવ્ય સ્વાગત
April 11, 2025 11:54 AMજામનગરમાં એક જ દિ’માં તાપમાનમાં ૪ ડીગ્રીનો ઘટાડો: લોકોને રાહત
April 11, 2025 11:50 AMકાલે ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્ર્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં મહત્વની બેઠક
April 11, 2025 11:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech