ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કદાચ પ્રથમ વખત આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની બૃહદ બેઠક ગાંધીનગીમાં કમલમ ખાતે મળવા જઈ રહી છે. આ બૃહદ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો જિલ્લ ા મહાનગરના પ્રમુખ મહામંત્રી મોરચાના પદ અધિકારીઓ તમામ ધારાસભ્યો અને સાંસદોને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશના પગલે ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે જેટલા મોઢા તેટલી વાત ચાલી રહી છે કોઈ આ બેઠકને મંત્રીમંડળના વિસ્તરણ સાથે સરખાવી રહ્યું છે તો પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાર્ટીલની આ બેઠક આખરી બની રહે તેનું અનુમાન પણ લગાવી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ભાજપના રાષ્ટ્ર્રીય મહામંત્રી તણ યુગ વિશેષ ઉપસ્થિતિમાં બેઠક મળશે આ બેઠકમાં ૧૪મી એપ્રિલે ડોકટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ભાજપ દ્રારા રાજયભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સંવિધાન દિવસ નિમિત્તે ચર્ચા સત્ર પણ યોજાનાર છે.
આ સંવિધાન દિવસમાં કાયદા અંગે પણ એક જાગૃતિ અભિયાન શ કરવા જઈ રહ્યું છે આ સંદર્ભે રાષ્ટ્ર્રીય મહામંત્રી તણયુગ એક દિવસની ગુજરાતની મુલાકાતે છે જે રાષ્ટ્ર્રીય સ્તરે નક્કી થયેલા કાર્યક્રમની જાણકારી આપશે.આવતીકાલે ભાજપની મળનારી બૃહદ બેઠકને લઈને કેટ કેટલી અફવાઓનું બજાર એ જ બન્યું છે જેમાં કોઈ નવી જ બાબત બહાર આવે તેવું ચર્ચાય રહ્યું છે. આ સિવાય કોંગ્રેસ દ્રારા ૨૦૨૭ ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શ કરવામાં આવી છે તેને લઈને નવી રણનીતિ જાહેર કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech