પ્લીઝ, ભારતથી આવેલા મુહાજિરોને બચાવો: પાક નેતાની મોદીને અપીલ

  • May 28, 2025 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, દેશનિકાલ કરાયેલા પાકિસ્તાની નેતા અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના સ્થાપક અલ્તાફ હુસૈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મદદ માટે અપીલ કરી છે અને જણાવ્યું છે કે અહી ભારતથી આવેલા મુહાજિરોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને ભેદભાવ કરવામાં આવી રહ્યા છે, આથી પ્લીઝ,

મુહાજિરોની હેરાનગતિનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવો અને તેમને ન્યાય અપાવો.તેમણે લંડનમાં એક કાર્યક્રમ દરમિયાન આ અપીલ કરી હતી.પોતાના નિવેદનમાં, તેમણે બલૂચ લોકોને ટેકો આપવા બદલ પીએમ મોદીની પ્રશંસા કરી અને તેને એક હિંમતવાન અને નૈતિક રીતે પ્રશંસનીય પગલું ગણાવ્યું.

તેમણે પીએમ મોદીને વિનંતી કરી કે તેઓ મુહાજિર સમુદાય માટે પણ આવા જ સમર્થનનો અવાજ ઉઠાવે. અલ્તાફ કહે છે કે દાયકાઓથી મુહાજિરો પર અત્યાચાર અને ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, જે સંપૂર્ણપણે રાજ્ય પ્રાયોજિત છે.તેમણે કહ્યું કે ભારતના ભાગલા પછી, પાકિસ્તાની લશ્કરી સ્થાપનાએ ક્યારેય મુહાજિરોને દેશના કાયદેસર નાગરિક તરીકે સંપૂર્ણપણે સ્વીકાર્યા નથી. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ સતત આ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના અધિકારોની હિમાયત કરી રહ્યું છે પરંતુ અત્યાર સુધીમાં 25000 થી વધુ મુહાજિરો લશ્કરી કાર્યવાહીમાં મૃત્યુ પામ્યા છે અને હજારો ગાયબ થઈ ગયા છે.


પાકમાં મુહાજીરોનો અવાજ દબાવી દેવાની થઈ રહી છે કોશિશ

અલ્તાફ હુસૈન કહે છે કે હ્યુસ્ટન, યુએસએમાં પાકિસ્તાની કોન્સ્યુલ જનરલ આફતાબ ચૌધરીએ કાર્યક્રમ દરમિયાન એક વીડિયો રજૂ કર્યો હતો, જેમાં અલ્તાફ અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટને ભારતના એજન્ટ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે આવા આરોપો લગાવીને મુહાજિરોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનમાં મુહાજિરોને લાચાર છોડી દેવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુહાજિરોનો અવાજ ઉઠાવવો જોઈએ અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ આ સમુદાયના લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application