પોતાના ઘરમાં ફૂલ-છોડ વાવવાનું કોને ન ગમે? સ્વાસ્થ્ય લાભ ઉપરાંત, લીલાછમ છોડ ઘરના વાતાવરણને પ્રફુલ્લિત કરે છે. એટલે છોડની મદદથી ઘરને સજાવવું શ્રેષ્ઠ વિકલ્પ છે. જાણીને નવાઈ લાગશે કે કેટલાક એવા છોડ છે જે ઘરની નકારાત્મકતાને દૂર કરીને સકારાત્મકતાનું વાતાવરણ જાળવવામાં મદદ કરે છે. કેટલાક એવા છોડના વિકલ્પો છે, જેને આજે જ ઘરની સજાવટનો ભાગ બનાવી શકો છો.
તુલસીનો છોડ
હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ઘરના વડીલો હંમેશા આંગણામાં તુલસીનો છોડ લગાવવાનો આગ્રહ રાખતા. આ છોડ ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવી રાખે છે. આ સિવાય આ છોડના ઘણા ઔષધીય ફાયદા પણ છે.
સ્નેક પ્લાન્ટ
સ્નેક પ્લાન્ટ એક ઇન્ડોર પ્લાન્ટ છે જેનો ઉપયોગ ઘરની સજાવટમાં કરી શકો છો. આ છોડ પણ ખૂબ જ સુંદર લાગે છે. આ સિવાય તે હવામાં રહેલા ઝેરી તત્વોને દૂર કરીને હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. એવું કહેવાય છે કે આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતાનું વાતાવરણ બને છે.
પીસ લીલી
તેના નામની જેમ પીસ લીલી ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ જાળવી રાખે છે. દેખાવમાં સુંદર હોવા ઉપરાંત આ છોડ હવાને પણ શુદ્ધ કરે છે. તે હવામાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે. આ સિવાય જો તેને તમારા ઘરમાં સ્થાપિત કરો છો તો તે ઘરનું વાતાવરણ સકારાત્મક રાખવામાં પણ મદદ કરે છે.
મની પ્લાન્ટ
વિવિધ સંસ્કૃતિઓમાં મની પ્લાન્ટને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ઘરમાં આ છોડ ખીલે છે ત્યાં ક્યારેય સુખ-સમૃદ્ધિની કમી નથી આવતી. આ છોડને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે તેને વધારે કાળજી લેવાની જરૂર નથી. આ છોડને ઓછા સૂર્યપ્રકાશ અને ઓછા પાણીમાં સરળતાથી ઉગાડી શકો છો.
એલોવેરા
તુલસી અને મની પ્લાન્ટ પછી આ એક એવો છોડ છે જે ભારતમાં લગભગ દરેકના ઘરમાં જોવા મળે છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભો ઉપરાંત એલોવેરા ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવાનું પણ કામ કરે છે. આ છોડ થોડી કાળજી સાથે સરળતાથી વધે છે, તે ઘરને ખરાબ ઉર્જાથી બચાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech