બ્રાઝિલમાં પ્લેન ક્રેશ, તમામ ૬૨ યાત્રીનાં મોત

  • August 10, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બ્રાઝિલમાં એક મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. અહીં સાઓ પાઉલો રાય બહાર એક પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ૬૨ લોકો સવાર હતા.એક રિપોર્ટ અનુસાર બ્રાઝિલના સિવિલ ડિફેન્સે આ વાતની પુષ્ટ્રિ કરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન ક્રેશને કારણે ઘણા ઘરોને નુકસાન થયું છે. બ્રાઝિલના રાષ્ટ્ર્રપતિ લુલા દા સિલ્વાએ કહ્યું કે દુર્ઘટનામાં તમામ મુસાફરોના મોત થયા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પ્લેન ઝડપથી નીચે તરફ જતું જોવા મળી રહ્યું છે. રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બ્રાઝિલની પ્રાદેશિક એરલાઇન વોએપાસ નું વિમાન ૨૨૮૩–પીએસ–વિપીબી ક્રેશ થયું છે. વિમાને ૫૮ મુસાફરો અને ૪ ક્રૂ મેમ્બરો સાથે કાસ્કેવેલથી ગુઆલહોસ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. અકસ્માત પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
એરલાઇન કંપનીએ કહ્યું કે તેણે અસરગ્રસ્ત લોકોની મદદ માટે ટીમ મોકલી છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. દુર્ઘટનાનું કારણ અને વિમાનમાં સવાર લોકોની હાલત હજુ સુધી પુષ્ટ્રિ થઈ શકી નથી. વિમાન વિન્હેડો શહેરમાં પડું છે. અસરગ્રસ્તોની મદદ માટે ટીમો મોકલવામાં આવી છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.
બ્રાઝિલના ટેલિવિઝન નેટવર્કના જણાવ્યાનુસાર વિમાન યાં પડું ત્યાંથી ભારે ધુમાડો અને આગ નીકળી રહ્યા હતા.. પ્લેન રહેણાંક વિસ્તારમાં પડું છે. તે જ સમયે, વિમાન દુર્ઘટના પછી, દક્ષિણ બ્રાઝિલમાં એક કાર્યક્રમમાં, રાષ્ટ્ર્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ મીટિંગમાં હાજર લોકોને એક મિનિટનું મૌન પાળવાનુ કહ્યું હતું. ફાયર બ્રિગેડ, મિલિટરી પોલીસ અને સિવિલ ડિફેન્સ ઓથોરિટીની ટીમોને વિન્હેડોમાં અકસ્માત સ્થળ પર રવાના કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application