શહેરના રેલનગરમાં રહેતા સાસુ–વહત્પએ ફિનાઈલ પી લેતા સિવિલમાં સારવાર લીધી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રેલનગરમાં પ્રમુખ સ્વામી દર્શન પાર્કમાં રહેતા સીમાબેન રાજુભાઈ પાલ (ઉ.વ.૪૭) અને તેનું પુત્રવધુ અંજલીબેન અમિતભાઇ પાલ (ઉ.વ.૨૨)બંનેએ ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને કરી હતી. જો કે પોલીસ આવે પહેલા જ બંને રજા લઇ નીકળી ગયા હતા આથી કયાં કારણથી બંનેએ પગલું ભયુ તે જાણી શકાયું નથી.
પટેલનગરમાં આવેલા માતિ ટાઈમ્સ નામના કારખાનામાં યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
કોઠારીયા રોડ પરના નીલકઠં પાર્ક–૧માં રહેતો અને પટેલનગર–૯માં આવેલા માતિ ટાઈમ્સ નામના કારખાનામાં કામ કરતો મોહિત કાંતિભાઈ દુધાત્રા (ઉ.વ.૩૬)નામના યુવાને કારખાનામાં જ ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે
રીબડા પાસે ટ્રેન નીચે ઝંપલાવી રાજકોટના યુવાને મોત મીઠું કયુ
ગોંડલ: રાજકોટના કોઠારીયા ચોકડી પાસે રહેતા સુરેશભાઈ અરજણભાઈ ખાટરીયા ઉમર વર્ષ ૪૧એ માનસિક બીમારીથી કંટાળી ગોંડલ તાલુકાના રીબડા ગામ પાસે ટ્રેન નીચે ઝંપલાવી મોત મીઠું કરી લેતા તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ વાળા રમેશભાઈ વાગડીયા ને થતા દોડી ગયા હતા ત્યાં યુવાનનું બાઈક પડું હતું અને તેને ડેકી ખોલતા તેમાં કંકોત્રી મળી હતી તેના આધારે યુવાનના પરિવારજનોનો ગણતરીની કલાકમાં જ સંપર્ક થયો હતો પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સુરેશભાઈ ખાટરીયા ગોંડલ જવાનું કઈ ઘરેથી નીકળ્યા હતા બાદમાં તેમનો સંપર્ક ન થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેમની શોધ શ કરી હતી દરમિયાન પોલીસનો સામેથી ફોન આવતા જાણ થતા પરિવારજનો શોક મ બન્યા હતા યુવાન માનસિક બીમારીથી પીડાતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના લાલપુરના નાંદુરી ગામે હત્યા મામલે પોલીસ અધિકારીની પ્રતિક્રિયા
May 16, 2025 12:34 PMઅમિત ખુંટ આપઘાત પ્રકરણમાં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટ જામીન મુકત
May 16, 2025 12:32 PM17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech