હાલમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ નક્કી થાય છે. આંતરરાષ્ટ્ર્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત અને વિનિમય દર અનુસાર કિંમતોમાં ફેરફાર નક્કી કરવામાં આવે છે. આને ડાયનેમિક યુઅલ પ્રાઇસિંગ નામ આપવામાં આવ્યું હતું. આ ફેરફારો એટલા મામૂલી છે કે મોટાભાગના લોકો દરમાં તફાવતની નોંધ પણ લેતા નથી. આ સિસ્ટમ જૂન ૨૦૧૭માં શ કરવામાં આવી હતી. હવે સરકાર ફરીથી આ સિસ્ટમ બદલવાની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત દર ત્રણ મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ટૂંક સમયમાં ૧.૫ પિયાનો ઘટાડો થઈ શકે છે.
સૂત્રોના હવાલાથી મીડિયા રિપોટર્સમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ત્રણ મહિનામાં કિંમતોની સમીક્ષા કરવામાં આવે તો લાંબા સમય સુધી નવા દરો નક્કી કરવામાં આવશે. ત્રણ મહિના સુધી તેમાં કોઈ ફેરફાર થશે નહીં, જેથી સ્થિરતા જળવાઈ રહેશે. અત્યારે કંપનીઓ પેટ્રોલ પર ૧૫ પિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૧૨ પિયા પ્રતિ લીટરનો ચોખ્ખો નફો કરી રહી છે. જો આમાંથી ૧૦ ટકા ગ્રાહકોને આપવામાં આવે તો પેટ્રોલની કિંમતમાં લગભગ ૧.૫ પિયા અને ડીઝલની કિંમતમાં ૧.૨૦ પિયાનો ઘટાડો સરળતાથી થઈ શકે છે.
અગાઉ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી. તેના વધવા કે ઘટવાના કારણે પેટ્રોલ પપં પર ભારે ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક મહિનામાં કાચા તેલની કિંમતોમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે, કેન્દ્ર સરકાર માત્ર પેટ્રોલ અને ડીઝલના દરમાં જ ઘટાડો કરતી નથી પરંતુ દર ૩ મહિને કિંમતોની સમીક્ષા કરવાની પણ યોજના બનાવી રહી છે.
આમાં કેન્દ્રીય આબકારી જકાત અથવા રાય વેટમાં ઘટાડો નવા નિયમોથી અલગ રાખવામાં આવશે. આનો અર્થ એ છે કે કંપનીઓએ તેમના નફાના ૧૦ ટકા ગ્રાહકોને આપવા પડશે. આ સિવાય સરકાર તેમની ફીમાં ઘટાડો કરીને તેમને વધારાની રાહત પણ આપી શકે છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ ૧૯ ટકાનો ઘટાડો થયો છે. પરંતુ, ગ્રાહકોને તેનો સંપૂર્ણ લાભ મળી શકયો નથી. વાસ્તવમાં જો પ્રતિ બેરલ એક પિયાનો ઘટાડો કરવામાં આવે તો સરકારને વાર્ષિક અંદાજે ૧૩ હજાર કરોડ પિયાની બચત થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech