કાલાવડ મામલતદાર કચેરી કાલાવડ તાલુકા ભરવાડ સમાજ દ્વારા મોટા વડા સરકારી શાળાના ગુન્હાહિત શિક્ષકોને ડીસમીસ કરી કડકમાં કડક સજા થાય તેવી ઉગ્ર માંગ સાથે કાલાવડ મામલતદારને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના મોટા વડા ગામે સરકારી શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતા લોધીકા તાલુકાના છાપરા ગામના ધ્રુવિલ ભરતભાઈ વ આપઘાત પ્રકરણમાં જેની સામે ગુન્હો નોંધાયો છે તેવા સચીન વ્યાસ, વિભુતિ શાહ અને મોસમી જોશી આ ત્રણેય શિક્ષકોને કડકમાં કડક સજા થાય તેમજ તેમને સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ નહી પરંતુ ડિસમીસ કરવા કાલાવડ તાલુકા ભરવાડ સમાજ દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધીને કાલાવડ મામલતદારને આવેદનપત્ર પાઠવેલ.
વધુમાં સમાજના આગેવાનોએ જણાવ્યુ કે આજદિન સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે માટે તેને ઝડપથી પકડીને તેના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેમજ આ ત્રણેય આરોપીઓને જેને પણ આસરો આપ્યો હોય તેના વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરીને કાર્યવાહી થાય સાથો સાથ ધ્રુવિલ ભરતભાઈ વરૂ તેમના પરિવારનું સારૂ ભવિષ્ય હતા, ભણવામાં ખુબજ હોશીયાર હોય તેમના પરિવારનો આધારસ્તંભ હતા તેમના સાથે આવા પ્રકારનું કૃત્ય કરી શિક્ષકોએ ગુરૂની પદવી ઉપર લાંછન લગાડેલ છે. ત્રણેય શિક્ષકો ઉપર આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી થયેલ ન હોય હજુ તેઓ સમાજમાં બિંદાસ ફરે છે.
જેથી ઉપરોકત ત્રણેય શિક્ષકોની વહેલી તકે ધરપકડ કરી સખ્તમાં સખ્ત દાખલારૂપ સજા કરવા જેથી ભવિષ્યમાં આવા પ્રકારની ક્રુરતા કોઈપણ બાળક સાથે કોઈ વ્યકિત ન કરે તેઓ સંદેશ અપાવવા કાલાવડ તાલુકા ભરવાડ સમાજ દ્વારા આવેદન આપી જણાવેલ હતું. આવેદન આપતી વેળાએ ભોજાભાઈ વી.ટોયટા, હરીભાઈ કાટોડીયા, યોગેશભાઈ કાટોડીયા, જેન્તીભાઈ ટોયટા, રાજુભાઈ કાટોડીયા, ટપુભાઈ ટોયટા, નારણભાઈ બાંભવા, દુદાભાઈ કાટોડીયા, ભીમાભાઈ ઝાપડા, કારાભાઈ જોગસ્વા, પતુભાઈ ગમારા, દિનેશભાઇ ઘોડાસર, મચ્છાભાઈ ટારીયા, ધનાભાઈ કાટોડીયાની સાથે કાલાવડ તાલુકા ભરવાડ સમાજના આગેવાનો સાથે બહોળી સંખ્યામાં ભરવાડ સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech