જામનગરમાં ઠેર ઠેર વૃક્ષો પડયા : લોકોએ દાખવી સંવેદના

  • June 17, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં અનેક વૃક્ષો તેમજ વિજ થાંભલાઓ ધરાશાયી થયાં છે.જેના મેન્ટેનન્સ સહિતની કામગીરી માટે વિવિધ વિભાગના કર્મચારીઓ ખડે પગે રાત દિવસ કામ કરી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓની જામનગરના શહેરીજનો પણ એટલા જ ભાવથી દરકાર લઈ પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. શહેરના વિવિધ સ્થળોએ કામ કરતા કર્મીઓ માટે શહેરીજનો સામે ચાલીને ચા,પાણી, નાસ્તા વગેરે જેવી મદદ પહોંચાડી રહ્યા છે તો બીજી તરફ વરસાદ અને વાવાઝોડાના કારણે પંખીઓ ભૂખ્યા ન રહે તે માટે બહોળી સંખ્યામાં લાખોટા તળાવની પાળે પહોંચી પક્ષીઓ માટે ચણની સેવા પૂરી પાડી રહ્યા છે.
**
તળાવની પાળે પક્ષીઓ ભુખ્યા ન રહે તે માટે લોકોએ ચણ નાખ્યું
બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં અનેક વૃક્ષો તેમજ વિજ થાંભલાઓ ધરાશાયી થયાં છે.જેના મેન્ટેનન્સ સહિતની કામગીરી માટે વિવિધ વિભાગના કર્મચારીઓ ખડે પગે રાત દિવસ કામ કરી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓની જામનગરના શહેરીજનો પણ એટલા જ ભાવથી દરકાર લઈ પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. શહેરના વિવિધ સ્થળોએ કામ કરતા કર્મીઓ માટે શહેરીજનો સામે ચાલીને ચા,પાણી, નાસ્તા વગેરે જેવી મદદ પહોંચાડી રહ્યા છે તો બીજી તરફ વરસાદ અને વાવાઝોડાના કારણે પંખીઓ ભૂખ્યા ન રહે તે માટે બહોળી સંખ્યામાં લાખોટા તળાવની પાળે પહોંચી પક્ષીઓ માટે ચણની સેવા પૂરી પાડી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application