બાબા રામદેવએ શરબત જેહાદ શબ્દનો ઉપયોગ કરતા લોકોએ વિરોધ કર્યો

  • April 10, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પ્રખ્યાત યોગ ગુરુ બાબા રામદેવ ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. તાજેતરમાં, વાયરલ થયેલા એક વીડિયોમાં, બાબા રામદેવે શરબત જેહાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેના પછી લોકોએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. વાયરલ વીડિયોમાં, બાબા રામદેવ પતંજલિ શરબતનો પ્રચાર કરતી વખતે દાવો કરે છે કે શરબત વેચતી કંપની તેની કમાણીનો એક ભાગ મસ્જિદો અને મદરેસા બનાવવા માટે વાપરે છે.


પતંજલિ પ્રોડક્ટ્સના હેન્ડલ પરથી ફેસબુક પર પોસ્ટ કરાયેલા આ વીડિયોના કેપ્શનમાં હિન્દીમાં લખ્યું છે કે શરબત જેહાદના નામે વેચાતા ટોયલેટ ક્લીનર્સ અને ઠંડા પીણાંના ઝેરથી તમારા પરિવાર અને માસૂમ બાળકોને બચાવો. ઘરે લાવો ફક્ત પતંજલિ શરબત અને જ્યુસ.


આ વીડિયોમાં બાબા રામદેવ સોફ્ટ ડ્રિંક્સની ટીકા કરતા જોવા મળે છે. તેમનું કહેવું છે કે તે ડ્રિંક્સ ટોઇલેટ ક્લીનર જેવું છે, જે ઉનાળામાં તરસ છીપાવવાના નામે પીવામાં આવે છે. રામદેવ આ સોફ્ટ ડ્રિંક્સને ભારતીયોના સ્વાસ્થ્ય પર હુમલો કહે છે અને તેમની તુલના ઝેર સાથે કરે છે. વીડિયોમાં બાબા રામદેવ કહે છે કે ઉનાળામાં તરસ છીપાવવાના નામે લોકો ઠંડા પીણા પીવે છે જે ખરેખર ટોઇલેટ ક્લીનર છે. એક તરફ ટોઇલેટ ક્લીનર જેવા ઝેરનો હુમલો છે અને બીજી તરફ શરબત વેચતી એક કંપની છે જે તેમાંથી કમાયેલા પૈસાનો ઉપયોગ મસ્જિદો અને મદરેસા બનાવવા માટે કરે છે. આ સારું છે, આ તેમનો ધર્મ છે.


બાબા રામદેવે વધુમાં દાવો કર્યો કે દેખીતી રીતે જો તમે તે કંપનીનું શરબત પીઓ છો તો તે મસ્જિદો અને મદરેસાઓ માટે ભંડોળ એકત્ર કરવામાં મદદ કરે છે. તેમણે દાવો કર્યો કે જો તમે પતંજલિ શરબત પસંદ કરો છો તો તે ગુરુકુળ, આચાર્યકુળ, પતંજલિ યુનિવર્સિટીઓ અને ભારતીય શિક્ષણ બોર્ડને મદદ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application