આકાશામાંથી અંગારા વરસ્યા: તાવ, ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો: હજુ બે દિવસ હીટવેવ રહેશે
એક તરફ સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી હજુ બે દિવસ છે, જયારે જામનગર પંથકમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રી નજીક પહોંચી જતાં લોકો ભારે પરેશાન થઇ ગયા છે, ગઇકાલે આકાશમાંથી અંગારા વરસ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી અને રાત્રે કેટલાક વિસ્તારોમાં વિજળી રાણી ગુલ થઇ ગયા હતાં, આજ સવારથી જ ફરીથી બફારો જોવા મળ્યો છે અને હજુ બે દિવસ બફારો રહેશે અને મહત્તમ તાપમાનમાં વધારો થશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે.
દ્વારકા પંથકમાં પણ અસહ્ય તાપ અને ગાજવીજ સાથે વંટોળીયો જોવા મળ્યો હતો, રાજકોટ 42.4, આણંદ 42.4, અમદાવાદ અને ડીસામાં 43 જયારે જામનગરમાં તાપમાન 40 ડીગ્રી નજીક એટલે કે 39.8 ડીગ્રી થઇ ગયું છે. બપોરના રસ્તાઓ પણ સુમસામ જણાતા અને અધુરામાં પુ હોય તેમ 65 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 39.8 ડીગ્રી, લઘુતમ તાપમાન 29 ડીગ્રી, હવામાં ભેજ 84 ટકા અને પવનની ગતિ 60 થી 65 કિ.મી. પ્રતિકલાક રહી હતી.
આજ સવારથી જ ફરીથી બફારો શ થયો છે, જો કે ગઇકાલે સાંજે 65 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા લોકોને ગરમીથી રાહત થઇ હતી, પરંતુ આજ સવારથી જ હવામાં ભેજ 84 ટકા હોય લોકોને બફારાનો સામનો કરવો પડયો છે.
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના તંત્ર વાહકોને સચેત રહેવા જામનગરના કલેકટર તથા દ્વારકાના કલેકટર સહિતના અધિકારીઓએ માર્ગદર્શીકા પણ જાહેર કરી છે, ડોકટરોના કહેવા મુજબ સતત પાણી પીતા રહેવું, લીંબુ પાણી અને નાળીયેર પાણીનો પણ ઉપયોગ કરવો, તડકા દરમ્યાન ચકકર આવે તો તાત્કાલીક અસરથી નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ડોકટરોનો સંપર્ક કરવો.
જામનગરનું તાપમાન ફરીથી 40 ડીગ્રી નજીક પહોંચી ગયું છે, કાલે બપોરે મહત્તમ તાપમાન 39 ડીગ્રીને પાર કરી ગયું હતું, ત્યારબાદ ઠંડો પવન ફુંકાતા લોકોને ગરમીથી રાહત મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech