તિરંગાયાત્રાના માર્ગ પર આસ્થાઈ દબાણો કરાયા દૂર

  • August 13, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે શહેરમાં આઝાદી પર્વ પૂર્વે નીકળનારી તિરંગાયાત્રાના સમગ્ર માર્ગ પર મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વે દરમ્યાન નાના-મોટા અ સંખ્ય આસ્થાઈ દબાણો થયા હોવાનું જણાયા બાદ તંત્રની ટીમે દબાણો સામે કાર્યવાહી કરી હતી. બપોરથી એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના એ વી સ્કૂલ મેદાનથી નવાપરા, ગરાસિયા બોર્ડિંગ, ભીડભંજન મહાદેવ મંદિર, મોતીબાગ, મહાત્મા ગાંધી રોડ, ખારગેટ, મામાકોઠા રોડ, દીવાનપરા રોડ તેમજ હલુરીયાચોક સહિત તિરંગાયાત્રાને નડતરરૂપ દબાણો દૂર કરી માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application