આંબેડકર જયંતિની શાંતિપૂર્ણ ઉજવણી માટે શાંતિ સમિતીની મીટિંગ

  • April 11, 2025 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિહોર શહેરમાં આગામી તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.  સિહોર પોલીસ મથક ખાતે પીઆઈ જાડેજાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી ડો. આંબેડકરની જન્મજયંતિની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી હતી. બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓએ દલિત સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News