મહોરમના તહેવાર નિમિત્તે સિટી-એ ડિવિઝન ખાતે શાંતિ સમિતિની બેઠક

  • July 11, 2024 11:05 AM 

આગામી દિવસોમાં આવનારા તાજીયાના જુલુસ અનુસંધાન જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનો સાથે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના PI નિકુંજસિંહ ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી હતી.


જેમાં હિંદુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, તાજીયાના પરવાનેદારો, રાજકીય આગેવાનો, જામનગર મહાનગપાલિકાના નગરસેવકો, વેપારીઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા, મુસ્લિમ ધર્મનો તાજીયા-મહોરમ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી, તથા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા અને જો કોઇ બનાવ બને તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી.


તાજીયા-મહોરમ તહેવાર શાંતિમય વાતાવરણમાં તેમજ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય તેવી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI નિકુંજસિંહ ચાવડા દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી, તેમ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના ASI બસીરભાઇ મલેકની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application