રાજસ્થાનના ઝુંઝુનુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોસ્ટમોર્ટમ બાદ એક વ્યકિતને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેના મૃતદેહને ચાર કલાક સુધી ડીપ ફ્રીઝમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ જયારે અંતિમ સંસ્કાર માટે મૃતદેહ આપવામાં આવ્યો ત્યારે મૃત વ્યકિત શ્વાસ લેતો જોવા મળ્યો હતો, જેના પછી હોબાળો મચી ગયો હતો. આ મામલે બેદરકારી દાખવનાર ત્રણ તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રોહિતાશ નામનો વિકલાંગ અને માનસિક રીતે વિકલાંગ વ્યકિત ઝુંઝુનુના બગગાડમાં મા સેવા સંસ્થાનમાં રહેતો હતો. ગઈકાલ સવારે બેભાન અવસ્થામાં તેને સારવાર માટે સરકારી બીડીકે હોસ્પિટલની ઈમરજન્સીમાં લાવવામાં આવ્યો હતો, યાં ડોકટરે રોહિતેશને મૃત જાહેર કર્યેા હતો. જે બાદ મૃતદેહને બીડીકે હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યો હતો. લગભગ બે કલાક પછી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તેને અંતિમ સંસ્કાર માટે સંસ્થાને સોંપવામાં આવ્યું હતું, પરંતુ અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવતાં, મૃત રોહિતાશ જીવતો થયો હતો. રોહિતેશને તરત જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. યાં તેને આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે.
આ ચોંકાવનારી ઘટનાની માહિતી મળતાં જ સરકારે તહસીલદાર અને બગડ પોલીસ સ્ટેશનના અધિકારીને તપાસ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. હોસ્પિટલમાં લગાવેલા સીસીટીવી કેમેરા ફેરવી નાખ્યા હતા. જિલ્લા કલેકટર રામવતાર મીણાએ આને ગંભીર બેદરકારી ગણાવી સમગ્ર અહેવાલ આરોગ્ય વિભાગને મોકલી આપ્યો હતો, યાં મોડી રાત્રે સરકારે દોષિત તબીબો સામે કાર્યવાહી કરી હતી.
જિલ્લા કલેકટરના રિપોર્ટ બાદ ત્રણ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી છે. બીડીકે હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડો. સંદીપ પચાર, ડો. યોગેશ જાખર અને ડો. નવનીત મીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે આરોગ્ય વિભાગના સંયુકત સચિવ દ્રારા આદેશ જાહેર કરવામાં આવ્યા છે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન ડો. સંદીપ પચારનું મુખ્યાલય સીએમએચઓ આફિસ જેસલમેરમાં હશે, ડો. યોગેશ જાખડનું મુખ્યાલય સજા તરીકે સીએમએચઓ આફિસ બાડમેરમાં હશે, યારે ડો. નવનીત મીલનું મુખ્યાલય સીએમએચઓ આફિસ જાલોરમાં રહેશે. બીડીકે હોસ્પિટલના પીએમઓ સહિત ત્રણ ડોકટરો સામે ખાતાકીય તપાસ શ કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech