જામનગરના બે શખ્સો સામે ફરિયાદ
ઓખા મંડળના એક ટ્રાન્સપોર્ટર દ્વારા જામનગરના શખ્સ પાસેથી લેવામાં આવેલી ઉછીની રકમનું તોતિંગ વ્યાજ વસૂલ કરવા ચેક મેળવી, જાનથી મારી નાખવાની ઘમકી આપવા સબબ જામનગરના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ પ્રકરણ અંગે મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ધીરજલાલ પ્રભુદાસ ભાયાણી નામના 64 વર્ષના લોહાણા વૃદ્ધએ જામનગરમાં રહેતાં યાકુબ માકોડા અને મહંમદ સફી સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે તેમણે આરોપી યાકુબ માકોડા પાસેથી રૂપિયા ત્રણ લાખ રોકડા ઉછીના લીધા હતા.
આ રકમ પરત મેળવવા માટે આરોપીએ ફરિયાદી ધીરુભાઈ પાસેથી બે કોરા ચેક તથા રૂપિયા 20 લાખની કિંમતનો લેલેન્ડ ટ્રક બળજબરીથી કઢાવી લઈ, રૂપિયા ત્રણ લાખની મુદ્દલનું પાંચ ટકા લેખે વ્યાજ વસૂલ કરવાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આમ, આરોપી શખ્સો દ્વારા ફરિયાદી ધીરજલાલ ભાયાણીને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું વધુમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પી. ટી. વાણીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech