વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એક દિવસની ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આજ સપ્તાહમાં ફરી ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી જામનગરને રાજકોટની મુલાકાતે આવશે આવતીકાલના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેઓ અમદાવાદ મહેસાણા અને નવસારીના કાર્યક્રમોમાં હાજરી આપશે આ ઉપરાંત ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલની ગોલ્ડન જયુબેલી સમારોહના મુખ્ય મહેમાન પદ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે સવારે દસ વાગ્યે સહકારી ક્ષેત્રના આગેવાનો અને ફેડરેશનના તમામ સભ્યો સાથે ઉપસ્થિત રહેશે જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ વિશેષ હાજરી આપશે.જેના માટે વહીવટી તંત્ર તેમજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે તૈયારીઓ પુર્ણ કરી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક લાખથી વધુ દૂધ ઉત્પાદક પશુપાલકો ખેડૂતોના સંમેલનને સંબોધન કરશે. આ સાથે જ તેઓ બનાસકાંઠાના તરભા ખાતે વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠ ા મહોત્સવમાં હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાના લાખણી તાલુકામાં એરફોર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા ચાર કિલોમીટર લાંબા રન વે પર ઉતરાણ કરે તેવી શક્યતા છે.
બપોરે ૧૨:૦૦ કલાકે મહેસાણા જિલ્લ ાના તરભ ખાતે વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠ ા મહોત્સવમાં હાજરી આપવા તરફ ખાતે હેલિકોપ્ટર મારફતે પહોંચશે અહીં વડાપ્રધાનના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠ ા પૂજન અને અર્ચન થશે. ત્યારબાદ તેઓ રાજ્યભરમાંથી આવેલા વિશાળ માલધારી સમાજના સમૂહને સંબોધન કરશે બપોર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જવા રવાના થશે નવસારી ખાતે પીએમ મિત્ર પાર્ક અને અન્ય સરકારી યોજનાઓ ખાતમુખા તને લોકાર્પણ કરશે અને જાહેર જનતાને સંબોધન કરી વારાણસી જવા રવાના થશે.
અત્રે નોંધવું જરૂરી છે કે તારીખ ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી જામનગર અને રાજકોટની મુલાકાતે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે આમ માત્ર એક દિવસના ટુકાગાળા વચ્ચે તેઓ ઝઝાવાતી ગુજરાતનો પ્રવાસ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech