જામનગર એસટી ડેપોના મુસાફરોને રોકડા પૈસાની ઝંઝટમાંથી મુકિત

  • November 01, 2023 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર-રાજકોટ તથા જુનાગઢ વિભાગની બસોના તમામ રુટોમાં યુપીઆઇ પેમેન્ટ શરુ

જામનગર એસ.ટી. ડેપો મુસાફરોની સુવિધા માટે યુપીઆઇ પેમેન્ટ શરુ કરવામાં આવ્યું છે, જેમાં જામનગર, રાજકોટ તથા જુનાગઢ વિભાગની બસોના તમામ રુટોમાં મુસાફરો યુપીઆઇથી પેમેન્ટ કરી શકશે.
જામનગરથી રાજકોટ અને જુનાગઢ મુસાફરોની અવર જવર વધારે રહેતી હોય તેથી મુસાફરોની સુવિધા માટે જામનગર એસટી ડેપો દ્વારા આ તમામ રુટોમાં યુપીઆઇ પેમેન્ટ શરુ કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોને ખિસ્સામાં રોકડા પૈસા ટીકીટ માટે રાખવા નહીં પડે, ખાસ કરીને તહેવારોના સમયમાં જુનાગઢ જીલ્લા તથા રાજકોટ જીલ્લામાં જામનગર શહેર તથા જલ્લાના મુસાફરોની અવર જવર વધારે રહે છે અને તહેવારોના સમયમાં ખાસ કરીને ખિસ્સા કાતરુઓની પણ રંઝાડ વધી જતી હોય છે, તેથી હવે મુસાફરોને આ રુટ પર રોકડા પૈસા રાખવાની જરુર નહીં પડે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application