મહાપાલિકા-રેલવેની બેદરકારીથી પરસાણા નગર બન્યું મચ્છર નગર

  • March 01, 2025 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા અને રેલવે તંત્રની ઘોર બેદરકારીને કારણે જામનગર રોડ ઉપરના વોર્ડ નં.૩માં આવેલો પરસાણા નગર વિસ્તાર મચ્છર નગર સમાન બની ગયો હોય મ્યુનિ.કમિશનર અને રેલવેના ડીઆરએમને લેખિત રજૂઆત કરવામાં આવી છે.જો હવે તાકિદે જરૂરી પગલાં ન લેવાય તો આંદોલનનું એલાન કરાયું છે.

વિશેષમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલભાઇ રાજાણીએ જણાવ્યું છે કે પરસાણાનગર શેરી નં.૭ના રેલવે ટ્રેકની પાછળ રેલવેની હદમાંથી રેલવે બાબુઓની ઘોર બેદરકારી અને લાપરવાહીને પગલે ડ્રેનેજની લાઇન તૂટી હોય કે અન્ય કોઈ પાણીની પાઇપલાઇન તૂટી હોવાને પગલે રેલવે વિસ્તારનું નીકળી રહેલ ગંદુ પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યું છે અને લાંબા સમયથી આ પાણી ને પગલે ભર ઉનાળે હાલ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ગંદા પાણીને હિસાબે બિનજરૂરી કાંટાળી વનસ્પતિ ઉગી નીકળી છે. પરસાણા નગર ના રહેવાસીઓની ફરિયાદ છે કે આ ઠેક ઠેકાણે તળાવ જેવા ભરાયેલા આ ગંદા પાણી ડંકીમાં પણ ઘૂસી ગયા છે. હાલ આ પાણીને પગલે મચ્છરનું આક્રમણ વધી ગયું છે અને ગંધાતા ગંદા પાણીના પગલે સમગ્ર પરસાણાનગર વિસ્તાર મચ્છરોનું ઉત્પાદન કેન્દ્ર બની ગયું છે. જીવજંતુ અને મચ્છરોની ત્રાસદાયક સમસ્યા ઊભી થઈ છે અને રોગચાળો ફાટી નીકળે એ પહેલા રાજકોટ મહાનગરપાલિકા અને રેલવેના તંત્રને ઉંઘમાંથી જગાડવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવેના ડીઆરએમ અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને ગંદા પાણી નીકળે છે તે બાબતે તાત્કાલિક મરામત કરી યોગ્ય કરવા ટેલીફોનિક અને લેખિત રજૂઆત રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application