જામનગર મારામારીના કેસમાં આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો

  • November 25, 2023 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સીટી-એ ડીવીઝનના મારામારીના ગુનામા નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે શોધી કાઢયો હતો.
રાજકોટ રેન્જ આઇજી અશોકુમાર યાદવએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે ડ્રાઇવ રાખવામાં આવેલ, જેથી જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને જણાવેલ હોય જેથી એલસીબી પીઆઇ બી.એન. ચૌધરી તથા પેરોલ ફર્લોના  પીએસઆઇ એલ. જે. મિયાત્રા તથા સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, ગજેન્દ્રસિંહ જાડેજા, લગધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે સીટી-એ પોલીસ સ્ટેશનના કલમ ૪૫૨, ૪૨૭, ૩૨૩ મુજબના કામે નાસતા ફરતા આરોપી મેઘરાજ ઉર્ફે  મુકલો મુકેશ સીંધી જાનીભાઇ શર્મા (ઉ.વ.૩૭) રહે. હર્ષદમીલની ચાલી, પ્રણામી ટાઉનશીપ-૩, રણજીતસાગર રોડ, જામનગર વાળાની તપાસ કરતા આરોપી મરણ ગયેલ હોવાનું જાણવા મળતા મરણ અંગેના જરુરી કાગળો મેળવી આગળની કાર્યવાહી માટે સીટી-એ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application