જામનગર મારામારીના ગુનામાં આરોપીને પકડી લેતી પેરોલ ફર્લો

  • May 22, 2023 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સીટી-સી ડીવીઝનના મારામારીના ગુનામાં પાંચ મહીનાથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પકડી લીધો હતો.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે સુચના આપવામાં આવેલ, જેથી જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા ડ્રાઇવ આપવામાં આવેલ જેથી એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફના માણસો ડ્રાઇવ અનુસંધાને જરુરી વર્કઆઉટ કરી રહયા હતા.
દરમ્યાન સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર, લખધીરસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને બાતમી મળેલ કે સીટી-સી ડીવીઝનના મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી હિતેશ રાણશી હરીયાણી (ઉ.વ.૨૯) રહે. મયુરનગર, નવા ત્રણમાળીયા આવાસ, જામનગરવાળો પોતાના રહેણાંક મકાને આવેલ છે જેથી તપાસ કરતા આરોપીને તેના રહેણાંક મકાનેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે સીટી-સી પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application