બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ 13 મે શનિવારે દિલ્હીમાં સગાઈ કરી. આ કપલની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયાથી લઈને મીડિયા સુધી દરેક જગ્યાએ છે. સગાઈ સમારોહમાં બંનેના પરિવાર અને નજીકના મિત્રો તેમજ રાજકીય હસ્તીઓએ હાજરી આપી હતી. આ સગાઈ પછી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.
પરિણીતી ચોપરાએ તેની સગાઈમાં આવેલા દરેકનો, સોશિયલ મીડિયા પર તેને અભિનંદન આપનારા ચાહકો, તેના સારા ભવિષ્યની શુભેચ્છા પાઠવનારા નજીકના મિત્રોનો આભાર માનતી એક પોસ્ટ લખી છે. પરિણીતીએ લખ્યું, "રાઘવ અને હું છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં અમને મળેલા વિપુલ પ્રેમ અને સકારાત્મકતાથી અભિભૂત થયા છીએ, ખાસ કરીને અમારી સગાઈ પર. અમે બંને અલગ-અલગ દુનિયામાંથી આવ્યા છીએ,પણ હવે અમારી દુનિયા અમારા સંબંધો સાથે હવે એક છે..". અમે વિચાર્યું તે કરતાં અમને એક મોટું કુટુંબ મળ્યું છે."
પરિણીતીની પોસ્ટ અહીં પૂરી નથી થઈ, તેણે અહીં અલગથી મીડિયાનો આભાર માન્યો છે. તેણે લખ્યું, "અમે તમારા બધાના ખૂબ આભારી છીએ. તમે બધા અમારી સાથે ઉભા છો તે જાણીને અમે આ સફર શરૂ કરી છે. આ અવસર પર અમારા મીડિયા મિત્રોનો ખાસ આભાર, દિવસભર અમારા માટે હાજર રહેવા અને ઉત્સાહ આપવા બદલ.
આપને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા. તેથી રાઘવે તેનો અલગથી આભાર માન્યો છે. રાઘવે લખ્યું- "સર, તમે તમારા આશીર્વાદ આપીને અમારા ખાસ દિવસને વધુ ખાસ બનાવ્યો છે. પરિણીતી અને હું તમારો અને તમારા પરિવારનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. તમારો આ નાનકડો સાથી, આજે જીવનની એક નવી ઇનિંગ શરૂ કરે છે. તમારા આશીર્વાદ હંમેશ માટે આવા જ રહે એવી કામના કરું છું"
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech