પેરેડાઇઝ ફુવારો તંત્રની જાળવણીના અભાવે બન્યો અત્યંત બિસ્માર

  • September 03, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક સમયે પોરબંદરની શાન ગણાતો પેરેડાઇઝનો ફુવારો નગરપાલિકાના તંત્રની જાળવણીની ચીવટના અભાવે અત્યંત બિસ્માર બની ગયો છે અને તેની ફરતે આવેલી રેલિંગ તુટીફુટી ગઈ હોવાથી ગાય જેવા પશુઓ પણ અંદર આંટાફેરા કરતા અને ફુવારાને નુકસાન પહોંચાડતા જોવા મળે છે. છેલ્લા નવ મહિનાથી આ રેલિંગ તુટેલી-ફુટેલી હાલતમાં જોવા મળે છે,તેમ છતાં પોરબંદર નગરપાલિકાના તંત્રને તેનું સમારકામ કરાવવા માટેનો સમય નથી અથવા તો ગ્રાન્ટ નથી તેવું લોકો અનુભવી રહ્યા છે. તંત્ર એ વહેલીતકે આ ફુવારા ફરતે સમગ્ર રેલિંગનું સમારકામ કરાવવું જ‚રી બન્યું છે તેમ જ બિસ્માર બની ગયેલા ફુવારાનું પણ વ્યવસ્થિત રીતે સમારકામ કરાવવું જોઈએ.તેવી અહીંથી પસાર થતા લોકો પણ માંગણી કરી રહ્યા છે.તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application