આ કવાયત આજ સવારથી 25 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યા સુધી ચાલશે, જેમાં પાકિસ્તાની યુદ્ધ જહાજો મિસાઇલ ફાયરિંગનો અભ્યાસ કરશે. એવું માનવામાં આવે છે કે પહેલગામ હુમલા પછી ભારતીય નૌકાદળની ગતિવિધિથી ડરેલા પાકિસ્તાને પોતાના યુદ્ધ જહાજોને સતર્ક કરીને આ કવાયત શરૂ કરી છે.
સંરક્ષણ મંત્રીનું નિવેદન
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામ નજીક પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા સાથે ઇસ્લામાબાદનો કોઈ સંબંધ નથી. દરમિયાન, પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને હુમલામાં થયેલા જાનમાલના નુકસાન પર ચિંતા વ્યક્ત કરી, પરંતુ તેને આતંકવાદી કૃત્ય કહેવાનું કે તેની નિંદા કરવાનું ટાળ્યું.
રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક
પહેલગામ આતંકવાદી હુમલા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. આના થોડા કલાકો પછી, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે . આ બેઠક ગુરુવારે આજે યોજાશે. આ માહિતી પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી હતી. તેમણે કહ્યું કે આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા પર ચર્ચા કરવામાં આવશે. તેમણે લખ્યું, "ભારત સરકારના નિવેદનના જવાબમાં વડા પ્રધાન મોહમ્મદ શાહબાઝ શરીફે ગુરુવારે સવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે.
તમને યોગ્ય જવાબ મળશે જ: રાજનાથ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક દિવસ પછી, બુધવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે અને ભારત ટૂંક સમયમાં કાર્યવાહી કરશે. દિલ્હીમાં 'અર્જન સિંહ મેમોરિયલ લેક્ચર'માં બોલતા રાજનાથ સિંહે કહ્યું કે ભારત તમામ જરૂરી પગલાં લેશે અને આ હુમલા પાછળના લોકોને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન, તેમણે હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના માનમાં બે મિનિટનું મૌન પણ પાળ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech