PM મોદીની યુક્રેનની મુલાકાત યુદ્ધનો અંત લાવી શકે છે:  UN ચીફે વ્યક્ત કરી આશા

  • August 23, 2024 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આશા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન મોદીની યુક્રેનની મુલાકાત રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી યુક્રેનના પ્રવાસે છે.


યુએન સેક્રેટરી જનરલના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે યુએન ચીફને આશા છે કે પીએમ મોદીની યુક્રેનની મુલાકાત યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરશે. તેમને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીની મુલાકાત અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.


દુજારિકે જવાબમાં કહ્યું, અમે ઘણા રાજ્ય અને સરકારના વડાઓને પ્રદેશની મુલાકાત લેતા જોયા છે. અમે આશા રાખીએ છીએ કે આ મુલાકાતો અમને યુએનજીએના ઠરાવો અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર સંઘર્ષના ઉકેલની નજીક લાવશે.


યુએનજીએએ ત્રણ ઠરાવોમાં રશિયન આક્રમણને રોકવા માટે હાકલ કરી છે. અન્ય એક ઠરાવમાં યુક્રેનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા રોકવાની પણ માંગ કરવામાં આવી હતી. ભારત આ ઠરાવો પર મતદાન કરવાથી દૂર રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application