વડાપ્રધાન મોદીએ સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશ્કરને કર્યા યાદ

  • February 27, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • PMએ મન કી બાત પ્રોગ્રામમાં લતાજીને મિસ કરતા હોવાની કરી કબૂલાત



સ્વરા કોકિલા લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી. ભારતરત્ન લતા મંગેશકર પોતાના સુરીલા અવાજથી દરેક ગીતોમાં પ્રાણ પૂરી દેતાં હતાં. તેમણે ગાયેલા ગીતો અમર થઈ ગયા છે. લતા મંગેશકર ભલે અત્યારે આ દુનિયામાં નથી, પરંતુ તેમની યાદો હંમેશા દરેક ભારતીયના હૃદયમાં જીવંત રહેશે. તેમનો હંમેશા ઉલ્લેખ કરવામાં આવશે. છ દાયકા સુધી લતા મંગેશકરે સંગીતની દુનિયામાં પોતાના મધુર અવાજથી બોલીવૂડ જ નહીં સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો હતો.

લતા મંગેશકરના નિધનથી સમગ્ર બોલિવૂડ જગતમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. હવે તાજેતરમાં PM મોદી મન કી બાતમાં વાત દરમિયાન ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. પરંતુ તેમની વાતચીત દરમિયાન તેમણે ફરી એકવાર લતા મંગેશકરને યાદ કર્યા. તેમણે કહ્યું કે, લતા દીદીને મિસ કરવાં સ્વાભાવિક છે.

મન કી બાત દરમિયાન PM મોદી ત્રણ સ્પર્ધાઓ વિશે જણાવી રહ્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું કે, લતા મંગેશકરે પણ તેમને દેશભક્તિ સ્પર્ધામાં લોકોને સામેલ કરવા કહ્યું હતું. સમગ્ર મામલાની વાત કરતા PMએ કહ્યું કે, એકતા દિવસના અવસર પર તેમણે ત્રણ સ્પર્ધાઓ વિશે વાત કરી હતી. જેમાં દેશભક્તિ, લોરી અને રંગોળીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


દરમિયાન PM મોદીએ કહ્યું, કે..

 મિત્રો, આજે આ અવસર પર મારા માટે લતા મંગેશકર જી, લતા દીદીની યાદ આવે તે ખૂબ જ સ્વાભાવિક છે. કારણ કે તે દિવસે જ્યારે આ સ્પર્ધા શરૂ થઈ ત્યારે લતા દીદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને વિનંતી કરી હતી કે તેઓએ આ સ્પર્ધામાં જોડાવું જોઇએ.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application