લોકસભા ચૂંટણીના પરિણામો બાદ દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન ભાજપના નેતૃત્વ હેઠળના NDA ના નેતાઓએ બુધવારે અહીં સરકારની રચના અંગે ચર્ચા કરી હતી.
ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના નેતાઓએ બુધવારે અહીં સરકારની રચના અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીના નેતૃત્વમાં આ બેઠકમાં ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ, જેડીયુ નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને એલજેપી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાન પણ હાજર હતા. આ બેઠકમાં ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
પીએમ મોદીના નેતૃત્વમાં યોજાઈ બેઠક
પીએમ મોદીના નેતૃત્વમાં આ બેઠકમાં ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ, જેડીયુ નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને એલજેપી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાન પણ હાજર હતા. આ બેઠકમાં ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
કિંગ મેકર બની આ પાર્ટી
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ટીડીપી, જેડીયુ, શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને એલજેપી (રામ વિલાસ)એ અનુક્રમે 16, 12, સાત અને પાંચ બેઠકો જીતી છે. આ સાથે જ સરકાર બન્યા બાદ આ પક્ષો મહત્વની ભૂમિકા ભજવશે. તમને જણાવી દઈએ કે આ બેઠક લોકસભા ચૂંટણીમાં સત્તારૂઢ ગઠબંધનને બહુમત મળ્યાના એક દિવસ બાદ થઈ હતી. લોકસભાના આ પરિણામથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ત્રીજા કાર્યકાળનો માર્ગ મોકળો થયો છે.
પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ બનશે સરકાર
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર એનડીએના નેતાઓ ઔપચારિક રીતે મોદીના નેતૃત્વમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કરે તેવી અપેક્ષા છે અને ગઠબંધનના ઘટક પક્ષોના સાંસદો તેમને તેમના નેતા તરીકે ચૂંટવા માટે થોડા દિવસોમાં બેઠક કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech