વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે પીએમ મોદી ઓડિશાના ભુવનેશ્વરની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મળ્યા હતા અને એક લાભાર્થી પરિવારના હાઉસવોર્મિંગ સમારોહમાં પણ હાજરી આપી હતી. આ ઉપરાંત, પીએમએ તેમના જન્મદિવસ પર ભુવનેશ્વરની 1 કરોડ મહિલાઓને ભેટ આપી, તેમણે સુભદ્રા યોજના શરૂ કરી.
PMએ હાઉસવોર્મિંગ સેરેમનીમાં આપી હાજરી
પીએમ મોદીએ કહ્યું, મહિલા સશક્તિકરણનું બીજું પ્રતિબિંબ પ્રધાનમંત્રી આવાસ યોજના છે, આ યોજનાને કારણે નાના ગામડાઓમાં પણ મિલકતો મહિલાઓના નામે થવા લાગી છે.
તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પરિવારના ઘરના ગૃહ પ્રવેશમાં ભાગ લીધો હતો. જ્યારે વડા પ્રધાને ઘરનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે લાભાર્થીની પુત્રવધૂએ PM મોદીને તેમના 74માં જન્મદિવસ પર ખીર પીરસી હતી. બાળકો સાથે પણ મનોરંજન કર્યું હતું અને ખીર પણ ખાધી હતી. પોતાના સંબોધન દરમિયાન પરિવાર સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું, હું તેમના ચહેરા પરનો સંતોષ ક્યારેય ભૂલી શકીસ નહિ. તે આદિવાસી પરિવારે પણ મને ખીર ખવડાવી હતી.
PMએ લાભાર્થીઓ સાથે કરી વાતચીત
વડાપ્રધાન મોદીએ ભુવનેશ્વરની ઝૂંપડપટ્ટીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ ભુવનેશ્વરના ગડકાનામાં સાબર સાહી ઝૂંપડપટ્ટીની મુલાકાત લીધી અને પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના લાભાર્થીઓના ઘરોનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદી સાથે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પણ હાજર હતા.
તેમણે લગભગ 30 મિનિટ વિતાવી અને પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ પરંપરાગત રીતે તેમને કપાળ પર ચંદન લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું. PM મોદીનું સ્વાગત કરવા માટે બીજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટથી ગડકાના સુધીના રસ્તાઓની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકો ઉભા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech